1 એ પછી [ પાઉલ] આથેન્સથી નીકળીને કોરીંથમાં આવ્યો.

2 અને પંતસનો વતની, આકુલા નામે એક યહુદી, જે થોડીવાર પર ઇતાલીથી આવેલો હતો, તે તથા તેની વહુ પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમકે બધા યહુદીઓને રૂમમાંથી નીકળી જવાની ક્લાદીઅસે આજ્ઞા કરી હતી; ને તે તેઓને ત્યાં ગયો;

3 ન તેઓના જેવોજ ધંધો તે કરતો હતો, માટે તે તેઓને ઘેર રહ્યા, ને તેઓ સાથે કામ કરતા હતા; કેમકે તેઓનો ધંધો તંબુ બનાવવાનો હતો.

4 અને તે હરેક વિશ્રામવારે સભાસ્થાનમાં વિવાદ કરતો, ને યહુદીઓને તથા હેલેનીઓને સમજાવતો હતો.

5 પણ જયારે સીલાસ તથા તિમોથી માકેદોનનિયાથી આવ્યા, ત્યારે પાઉલે આવેશથી વાત પ્રગટ કરતા યહુદીઓને શાહેદી આપી કે, ઇસુ તેજ ખ્રિસ્ત છે.

6 પણ તેઓ તેની સામે થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે તેને પોતાના લુગડાં ખેંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે, હું તો નિર્દોષ છું, હવેથી હું વિદેશીઓ પાસે જઈશ.

7 પછી તે ત્યાંથી જઈને તીતસ યુસ્તસ નામે એકજણ જે ઈશ્વરભક્ત હતો તેને ઘેર ગયો; તેનું ઘર સભાસ્થાનની જોડાજોડ હતું.

8 અને સભાસ્થાનના આગેવાન ક્રીસ્પસે પોતાના આખા ઘરના સુદ્ધાં પ્રભુ પર વિશ્વાસ કીધો; ને ઘણા કરીંથીઓએ પણ સાંભળીને વિશ્વાસ કીધો, ને બાપ્તિસમાં પામ્યા.

9 અને પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીતો ના, પણ બોલજે, છાનો ન રહેતો;

10 કેમકે હું તારી સાથે છું, ને તને ઈજા થાય એવો કોઈ તારા પર હુમલો કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.

11 અને તે તેઓને દેવની વાતનો બોધ કરતો દોઢ વરસ લગી [ત્યાં] રહ્યાં.

12 પણ ગાલીઓ આખાયાના અધિકારી હતો, ત્યારે યહુદીઓ એકચિતે પાઉલની સામે ઉઠ્યા, ને તેઓએ તેને ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,

13 આ માણસ દેવનું ભજન નિયમશાસ્ત્રથી ઉલટી રીતે કરવાનું લોકોને સમજાવે છે.

14 અને પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલીઓએ યહુદીઓને કહ્યું કે, ઓ યહુદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સહન કરવું એ વાજબી ગણાત;

15 પણ જો શબ્દો, અથવા નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય to તમે પોતે તે વિષે જોઈ લો, કેમકે એવી વાતનો ન્યાય ચુકવવા હું ઈચ્છતો નથી.

16 અને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મુક્યા.

17 ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના આગેવાન સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર્યો, પા ગાલીઓએ તે વાતો વિષે કંઈ દરકાર કરી નહિ.

18 અને તે પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઇઓથી વિદાયગીરી લીધી, ને પ્રિસ્કીલા તથા આકુલા સાથે વહાણમાં બેસીને તે સુરિયા જવા ઉપડ્યો; [તે પહેલાં] તેણે કેંખરીઆમાં માથું મુંડાવ્યું હતું, કેમકે માનતા લીધી હતી.

19 અને તેઓ એફેસસમાં પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મુક્યાં, ને પોતે સભાસ્થાનમાં જઈને યહુદીઓની સાથે વિવાદ કીધો

20 અને તેઓની સાથે વધારે મુદત રહેવાની તેઓએ તેને વિનંતી કીધી, ત્યારે તેણે માન્યું નહિ.

21 પણ ઈશ્વરેચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાયગીરી લીધી, ને એફેસસથી વહાણમાં ઉપડ્યો.

22 અને કાઈસરીઆમાં પહોંચ્યા પછી, તેણે જઈને મંડળીનાને સલામ કરી, ને પછી અંત્યોખમાં ગયો.

23 અને ત્યાં, થોડીવાર રહ્યા પછી તે નીકળ્યો, ને સર્વ શિષ્યોને દૃઢ કરતો ગલાતીઆ પ્રાંત તથા ફુગિયામાં અનુક્રમે ફર્યો.

24 અને આપોલસ નામનો એક વિદ્વાન યહુદી જે આલેકસાંદ્રીયાનો વતની હતો ને ધર્મ લેખોમાં પ્રવીણ હતો, તે એફેસસમાં આવ્યો.

25 એ માણસ પ્રભુના માર્ગ વિષે શિક્ષણ પામેલો હતો, ને આત્મામાં આતુર હોવાથી તે કાળજીથી ઇસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શિખવતો હતો, પણ એકલું યોહાનનું બાપ્તિસમાં જાણતો હતો;

26 અને તે હિમ્મતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાની સાથે લઇ જઈને દેવ વિષેના માર્ગનો વધારે કાળજીથી ખુલાસો આપ્યો.

27 અને તે આખાયા જવાને ઈચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આવકાર કરે; ને તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કીધી;

28 કેમકે ઇસુ તેજ ખ્રિસ્ત છે, એવું ધર્મલેખો ઉપરથી બતાવીને એણે જાહેર [વાદવિવાદ]માં યહુદીઓને પુરા હરાવ્યા.