1 અને તેણેશિષ્યોને પણ કહ્યું કે, એક શ્રીમંત માણસ હતો, જેને એક કારભારી હતો; ને એની આગળ તેના ઉપર એવું તોહોમત મુકવામાં આવ્યું કે, તે તમારી મિલકત ઉડાવી દે છે.

2 અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા કારભારનો હિસાબ આપ; કેમકે હવેથી તું કારભારી રહી શકશે નહિ.

3 અને કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમકે મારો ઘણી મારી પાસેથી કારભાર લઇ લે છે. મારામાં ખોદવાની શકતી નથી; ભિક્ષા માગતાં હું લજવાઉં છું.

4 અમે કારભારમાંથી કાઢી મુકે ત્યારે લોકો પોતાના ઘરમાં મારો અંગીકાર કરે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.

5 ત્યારે તેણે પોતાના ઘાણીના દરેક લેણદારને બોલાનીને પહેલાને કહ્યું કે, મારા ઘણીનું તારે કેટલું દેવું છે?

6 ને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, ને વહેલો બેસીને પચાસ લખ.

7 પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? ને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, ને એંસી લખ.

8 અને તેના ઘણીએ અન્યાયી કર્ભારીને વખાણ્યો, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમકે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાના દીકરા કરતા હોશિયાર હોય છે.

9 અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારૂ મિત્રો કરો, કે જયારે તે થઇ રહે, ત્યારે તેઓ સદાકાળના માંડવાઓમાં તમારો અંગીકાર કરે.

10 જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે; ને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે.

11 માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે?

12 ને જો તમે પરાયામાં વિશ્વાસુ ન થયા હો, તો જે તમારૂં પોતાનું તે કોણ તમને સોંપશે?

13 કોઈ ચાકર બે ઘણીઓની ચાકરી કરી શકતો નથી; કેમકે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાને તુચ્છ કરશે. દેવની તથા દ્રવ્યની ચાકરી તમે કરી નથી શકતા.

14 અને ફરોશીઓ જે દ્રવ્ય લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને તેના ઠઠ્ઠા કીધા.

15 અને તેણે તેઓને કહ્યું કે, માણસોની આગળ પોતાને ન્યાયી દેખાડનારા તમે છો, પણ દેવ તમારાં અંત:કરણ જાણે છે; કેમકે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે દેવની દ્રષ્ટિમાં કંટાળારૂપ છે.

16 નિયમશાસ્ત્ર તથા ભવિષ્યવાદીઓ યોહાન લગી હતા; ત્યારથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, ને હરેક માણસ તેમાં બલાત્કારથી પેસે છે.

17 પણ શાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વી ને જતું રહેવું સહેલ છે.

18 જે કોઈ પોતાની બાયડીને છોડીને બીજીને પરણે છે, તે વ્યભિચાર કરે છે, ને વારે છોડેલી બાયડીને જે પરણે તે વ્યભિચાર કરે છે.

19 હવે એક શ્રીમંત માણસ હતો, ને તે કીરમજી તથા ઝીણાં વસ્ત્ર પહેરતો હતો, ને નિત્ય દબદબાસહિત મોજમઝા મારતો હતો.

20 અને લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો.

21 અને શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કુતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.

22 અને એમ થયો કે તે ભિખારી મરી ગયો, ને દૂતો તેને ઈબ્રાહીમની ગોદમાં લઇ ગયા; ને શ્રીમંત પણ મરી ગયો અને દટાયો.

23 અને હાડેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઉંચી કરીને વેગળેથી ઈબ્રાહીમને તથા તેની ગોદમાં લાજરસ જોયા.

24 અને તેણે ઘાટો પાડીને કહ્યું કે, ઈબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને થંડી કરે, કેમકે આ બળતામાં હું વેદના પામું છું.

25 પણ ઇબ્રાહીમે કહ્યું, દીકરા, સંભાર કે તારા જીવનમાં તું તારાં સારા વાનાં પામ્યો, ને એમજ લાજરસ ભૂંડાં વાનાં [પામ્યો]; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, ને તું વેદના પામે છે.

26 અને તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ આવી ન શકે, ને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર આવે નહિ.

27 અને તેણે કહ્યું કે, બાપ, એ માટે હું તને વિનંતી કરું છું કે, તેને મારા બાપને ઘેર મોકલ,

28 કેમકે મારા પાંચ ભાઈઓ છે, કે તે તેઓને શાહેદી આપે, રખે તેઓ પણ આ પીડાને ઠેકાણે આવે.

29 પણ ઈબ્રાહીમ કહે છે કે, તેઓની પાસે મુસા તથા ભવિષ્યવાદીઓ છે; તેઓનું તેઓ સાંભળે.

30 અને તેણે કહ્યું કે, ઈબ્રાહીમ બાપ, એમ નહિ, પણ જો કોઈ મુએલામાંથી તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.

31 અને તેને કહ્યું કે, જો મુસા તથા ભવિષ્યવાદીઓનું તેઓ નહિ સાંભળે, તો જો કોઈ મુએલાઓમાંથી ઉઠે, તોપણ તેઓ માનશે નહિ.