1 આને તે ફરી સભાસ્થાનમાં ગયો; ને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઇ ગએલો હતો.

2 અને તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેના પર નજર રાખી, એ માટે કે તેઓ તેના પર દોષ મુકે.

3 અને પેલા સુકાએલા હાથવાળા માણસને તે કહે છે કે, વચમાં ઉભો થા.

4 અને તે તેઓને કહે છે કે, વિશ્રામવારે સારૂ કરવું કે માઠું કરવું? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે? પણ તેઓ છાના રહ્યા.

5 અને તેઓના હૃદયની કઠણતાને લીધે તે દલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ ભણી જોઇને તે માણસને કહે છે કે, તારો હાથ લાંબો કર. અને તેણે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.

6 અને શી રીતે તેનો નાશ કરવો તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓને સાથે તેની વિરુદ્ધ મનસુબો કર્યો.

7 અને ઇસુ પોતાના શિષ્યો સુદ્ધાં નીકળીને સમુદ્રની પાસે ગયો;

8 અને ગાલીલ્માંથી ઘણા લોક તેની પાછળ ગયા, અને યહુદાહમાંથી તથા યારૂશાલેમમાંથી તથા અદુમમાંથી તથા યરદનને પેલે પારથી તથા સૂર તથા સીદોનની આસપાસના ઘણા લોક તેણે જે જે [કાર્યો] કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા.

9 અને લોકથી તે દબાય નહિ, માટે તેણે ભીડના કારણથી પોતાને સારૂ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;

10 કેમકે તેણે ઘણાંને સાજાં કર્યા હતા, અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેને અડકવા સારૂ તેના પર તુટી પડતાં હતાં.

11 અને અશુદ્ધ આત્માઓએ જયારે તેણે જોયો ત્યારે તેઓ તેને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, તું દેવનો દીકરો છે.

12 અને તેણે તેઓને બહુ તાકીદ કરી કે, મને પ્રગટ ન કરો.

13 અને તે પહાડ પર ચઢ્યો, ને જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે તેડ્યા; ને તેઓ તેની પાસે આવ્યા.

14 અને તેણે બારને ઠરાવ્યા એ માટે કે તેઓ તેની સાથે રહે, અને તે તેમને ઉપદેશ કરવા મોકલે,

15 તથા અધિકાર પામીને તેઓ ભૂતો કાઢે.

16 અને સીમોનની અટક તેણે પીતર પાડી;

17 તથા ઝબદીનો દીકરો યાકુબ તથા યાકુબનો ભાઇ યોહાન એઓની અટક તેણે બોઅનેરગેસ પાડી, એટલે ગર્જનાના દીકરા;

18 ને આંદ્રયા તથા ફીલીપ તથા બારથલમી તથા માત્થી તથા થોમા તથા આલફીનો દીકરો યાકુબ તથા થાદી તથા સીમોન કનાની,

19 તથા તેને પરસ્વાધીન કરનાર યહુદા ઇસ્કારયત; એ બારને તેણે ઠરાવ્યા. અને તે એક ઘરમાં આવે છે.

20 અને ફરી એટલે ઘણા લોક એકઠા થયા કે તેઓ રોટલી પણ ખાઇ ન શક્યા.

21 અને ટી સગાંઓ તે સાંભળીને તેને પકડવા બહાર નિકળ્યાં; કેમકે તેઓએ કહ્યું કે તે ઘેલો છે.

22 અને જે શાસ્ત્રીઓ યારુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, તેની સાથે બાલઝબુલ છે, ને ભૂતોના સરદાર[ની મદદ]થી તે ભૂતોને કાઢે છે.

23 અને તેણે તેઓને પાસે તેડીને દૃષ્ટાંતોમાં તેઓને કહ્યું કે, શેતાન શેતાનને કેમ કાઢી શકે?

24 ને જો કોઈ રાજ્યમાં માહોમાંહે ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.

25 અને જો કોઈ ઘરમાં માહોમાંહે ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.

26 અને જો શેતાન પોતાની સામો ઉભો થયો હોય, ને પોતામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો.

27 બળવાનના ઘરમાં પેસીને જો કોઇ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂટી શકતો નથી; [તેને બાંધશે] ત્યાર પછી તેનું ઘર લૂટશે.

28 હું તમને ખચિત કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તેમની માફી મળશે.

29 પન્ન જે કોઈ પવિત્ર આત્મા વિરુદ્ધ દુર્ભાષણ કરશે, તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંત કાળના પાપનો દોષ રહે છે.

30 કેમકે તેઓ કહેતા હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.

31 ત્યારે તેના ભાઈઓ તથા તેની માં આવ્યાં, ને બહાર ઉભાં રહીને તેને બોલાવવા તેની પાસે માણસ મોકલ્યું.

32 અને ઘણા લોક તેની આસપાસ બેઠેલા હતા; ને તેઓએ તેણે કહ્યું કે, જો, તારી મા તથા તારા ભાઈઓ બહાર છે ને તને શીધે છે.

33 અને તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?

34 અને જેઓ તેની આસપાસ બેઠા હતા તેઓ ભણી ચોતરફ જોઇને તે કહે છે કે , જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.

35 કેમકે જે કોઈ દેવની ઈચ્છા પ્રમાણે કરશે તે મારો ભાઇ તથા મારી બહેન તથા મા છે.