1 અને ઇસુએ એ વાતો પુરી કીધા પછી એમ થયું કે, ગાલીલથી તે નીકળ્યો, અને યરદનને પેલે પારની યહુદાહની સીમોમાં આવ્યો.

2 અને અતિ ઘણા લોક તેની પાછળ ગયા, ને ત્યાં તેણે તેઓને સાજા કીધા.

3 અને ફરોશીઓએ તેની પાસે આવીને તેનું પરીક્ષણ કરતાં પુછ્યું કે, શું હરેક કારણને લીધે માણસને પોતાની બાયડીને મૂકી દેવી ઉચિત છે?

4 અને તેણે ઉત્તર દેતાં કહ્યું કે, શું તમે એ નથી વાંચ્યું કે, જેણે આરંભથી તેઓને ઉત્પન્ન કીધાં તેણે તેઓને નરનારી ઉત્પન્ન કીધાં,

5 ને કહ્યું કે, તે કારણને લીધે માણસ પોતાના માબાપને મૂકશે, ને પોતાની બાયડીને વળગી રહેશે, ને તે બન્ને એક દેહ થશે.

6 માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે દેવે જે જોડ્યું છે તેણે માણસે જુદું ન પાડવું.

7 તેઓ તેને કહે છે કે, તો મુસાએ એવી આજ્ઞા કેમ આપી કે ફારગતી આપીને તેને મૂકી દેવી?

8 તે તેઓને કહે છે કે, મુસાએ તમારાં હૃદયની કઠણતાને લીધે તમને તમારી બાયડીઓ મૂકવા દીધી, પણ આરંભથી એવું ન હતું.

9 અને હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઇ પોતાની વય્ડીને મૂકી દેશે, ને બીજીને પરણશે, તે વ્યભિચાર કરે છે, ને તે મૂકી દીધેલી જોડે જે પરણે છે તે વ્યભિચાર કરે છે.

10 તેના શિષ્યો તેને કહે છે કે, જો બાયડી સંબંધી પુરુષનો એવો હાલ છે, તો પરણવું સારૂ નથી.

11 ત્યારે તેણે તેઓને કહ્યું કે, સઘળાંથી તે વાત પળાતી નથી, પણ જેઓને આપેલું છે તેઓથીજ.

12 કેમકે કેટલાએક ખોજા છે જે જેઓ માના પેટથી એવા જન્મ્યા; ને કેટલાએક ખોજા ખોજા છે કે જેઓને માણસોએ ખોજા બનાવ્યા; ને કેટલાએક ખોજા છે કે જેઓએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કીધા; જે પાળી શકે છે તે પાળે.

13 ત્યરે તેઓ બાળકોને તેની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા.

14 પણ ઇસુએ કહ્યું કે, બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા, કેમકે આકાશનું રાજ્ય એવાંઓનુંજ છે.

15 પછી તેઓ પર હાથ મૂકીને તે ત્યાંથી ગયો.

16 અને જુઓ, કોઈએક તેની પાસે આવીને કહ્યું કે, ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા સારૂ હું શું સારું કરું?

17 ત્યારે તેણે તેને કહ્યું, તું મને સારા વિષે કેમ પુછે છે? સારો તો એકજ છે; પણ જો તું જીવનમાં પેસવા ચાહે છે, તો અગ્યાઓ પાળ.

18 તે તેને કહે છે કે, કયી? ત્યારે ઇસુએ કહ્યું કે, તું હત્યા ન કર, વ્યભિચાર ન કર, તું ચોર્રી ન કર, તું જુઠી સાક્ષી ન પુર,

19 પોતાના માબાપને માન આપ, ને પોતાના પડોસી પર પોતાના જેવી પ્રીતિ કર.

20 તે જુવાન તેને કહે છે કે, એ બધાં મેં પાળ્યાં છે, હજી મારામાં શું અધુરૂં છે?

21 ઇસુએ તેણે કહ્યું કે, જો તું પુરો થવા ચાહે છે, તો જઈને તારૂં જે છે તે વચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે; ને આવીને મારી પાછળ ચાલ.

22 પણ તે જુવાન એ વાત સાંભળીને દલગીર થઈને ચાલ્યો ગયો, કેમકે તેની મિલકત ઘણી હતી.

23 ત્યારે ઇસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, હું તમને ખચિત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે.

24 વળી હું તમને ફરી કહું છું કે દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઉંટને જવું સહેલું છે.

25 ત્યારે તેના શિષ્યોએ એ સાંભળીને ઘણા અચરત થયા, ને કહ્યું, તો કોણ તારણ પામી શકે?

26 પણ ઇસુએ તેઓની સામું જોઇને કહ્યું કે, માણસોને તો એ અશક્ય છે, પણ દેવને સઘળાં શક્ય છે.

27 ત્યારે પીતરે ઉત્તર દેતાં તેને કહ્યું, જો, અને બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?

28 અને ઇસુએ તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે, જયારે પુનરૂત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇસ્રાએલના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બેસશો.

29 અને જે કોઇએ ઘરોને, કે ભાઈઓને, કે બહેનોને, કે બાપને, કે માને, કે છોકરાંને, કે ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.

30 પણ ઘણા જે પહેલા, તેઓ છેલ્લા થશે; ને જે છેલ્લા તેઓ પહેલા થશે.