1 અને સવાર થઇ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઇસુને મારી નાખવા સારૂ તેની વિરુદ્ધ મનસુબો કીધો.

2 પછી તેઓએ તેને બાંધ્યો ને તેને લઇ જઈને પીલાત હાકેમને સોંપ્યો.

3 ત્યારે તે અપરાધી ઠરાવાયો, એવું જોઇને, તેને પરસ્વાધીન કરનાર યહુદાને પશ્ચાતાપ થયો, ને પેલા ત્રીસ રૂપીઆ મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને

4 કહ્યું કે, નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કીધું છે. ત્યારે તેઓએ કહ્યું કે, તેમાં અમારે શું? તે તું જાણે.

5 પછી મંદિરમાં રૂપીઆ ફેંકી દઈને તે નીકળ્યો; ને જઈને ફાંસી ખાધી.

6 ત્યારે મુખ્ય યાજકોએ તે રૂપીઆ લઈને કહ્યું કે, એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી.

7 પછી તેઓએ મનસુબો કરીને પરદેશીઓને દાટવા સારૂ તેનું તેનું કુંભારનું ખેત વેચાતું લીધું.

8 તે માટે આજ સુધી તે ખેતર લોહીનું ખેતર કહેવાય છે.

9 ત્યારે યિર્મેયાહ ભવિષ્યવાદીએ જે કહ્યું હતું તે પુરૂં થયું કે, જેનું મૂલ્ય ઠરાવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇસ્રાએલપુત્રોએ ઠરાવ્યું તેના મૂલ્યના ત્રીસ રૂપીઆ તોએ લીધા;

10 ને જેમ પ્રભુએ મને હુકમ કીધો, તેમ કુંભારના ખેતરને સારૂ આપ્યા.

11 અને ઇસુ હાકેમની આગળ ઉભો રહ્યો, ને હાકેમે તેને પુછતાં કહ્યું કે, શું તું યહુદીઓનો રાજા છે? ત્યારે ઇસુએ તેને કહ્યું કે, તું કહે છે.

12 અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેના પર બટ્ટા મુક્યા છતાં તેણે કંઈ ઉત્તર ન દીધો.

13 ત્યારે પીલાત તેને કહે છે કે, તારી વિરુદ્ધ તેઓ કેટલી શાહેદી આપે છે, એ શું તું નથી સાંભળતો?

14 પણ તેણે તેને એક શબ્દનો પણ ઉત્તર ન દીધો, જેથી હાકેમ ઘણો અચરત થયો.

15 હવે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને સારૂ છોડી દેવાનો હાકેમનો રિવાજ હતો.

16 અને તે વેળા બારાબાસ નામનો તેઓનો એક પ્રખ્યાત બંદીવાન હતો.

17 તે માટે તેઓ એકઠા થયા પછી પીલાતે તેઓને કહ્યું હું તમારે સારે કોણને છોડી દઉં, તમારી શી મરજી છે? બારાબાસને, કે ઇસુ જે ખ્રીસ્ત કહેવાય છે તેને?

18 કેમકે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇથી તેને સોંપ્યો હતો.

19 અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની બાયડીએ તેને કહેવાડી મોકલ્યું કે તે ન્યાયીને તું કંઈ કરતો ના, કેમકે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.

20 પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકને સમજાવ્યા, કે તેઓ બારાબાસને માગે, ને ઇસુને મારી નંખાવે.

21 પણ હાકેમે ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, તે બેમાંથી હું કોને તમારે સારૂ છોડી દઉં, તમારી શું મરજી છે? ને તેઓને કહ્યું કે બારાબાસને.

22 પીલાત તેઓને કહે છે કે, તો ઇસુ જે ખ્રીસ્ત કહેવાય છે તેને હું શું કરું? સર્વ તેને કહે , તે વધસ્તંભે જડાય.

23 ત્યારે તેણે કહ્યું શા માટે? તેણે શું ભુંડું કીધું છે? પણ તેઓએ વધારે બૂમ પાડતાં કહ્યું કે, તે વધસ્તંભે જડાય.

24 અને પીલાતે જોયું કે મારું કંઇ ચાલતું નથી, પણ ઉલટી વિશેષ ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, એ ન્યાયીના લોહી સંબંધી હું નિર્દોષ છું; તમે જાણો.

25 ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.

26 પછી તેણે બારાબાસને તેઓને સારૂ છોડી દીધો, ને ઇસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારું સોંપ્યો.

27 ત્યારે હાકેમના સિપાઈઓએ ઇસુને મહેલમાં લઇ જઈને આખી પલટણ તેની આસપાસ એકઠી કીધી.

28 પછી તેઓએ તેનાં લૂગડાં ઉતારીને કીરમજી જભ્ભો તેને પહેરાવ્યો.

29 અને કાંટાનો મુગટ ગુંથીને તેના માથા પર મુક્યો, ને તેના જમણા હાથમાં સોટી આપી, ને તેની સામા ઘૂંટણ ટેકીને તેના ઠઠ્ઠા કરતાં કહ્યું કે, અરે યહુદીઓના રાજા, સલામ.

30 પછી તેઓ તેના અર થુંક્યા, ને સોટી લઈને તેને માથામાં મારી.

31 અને તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ જભ્ભો તેના પરથી ઉતારીને લૂગડાં તેને પહેરાવ્યાં, અને વધસ્તંભે જડવાને તેઓ તેને લઇ ગયા.

32 અને તેઓ બહાર હતા ત્યારે કુરેનીનો સીમોન નામે એક જણ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેનો વધસ્તંભ પરાણે ઉંચકાવી લીધો.

33 અને ગલગથા નામે એક જગ્યા, જે ખોપરીની જગ્યા કહેવાય છે, ત્યાં પહોંચ્યા.

34 ત્યારે તેઓએ પિત્ત ભળેલો સીરકો તેને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેણે પીવા ના પાડી.

35 અને તેને વધસ્તંભે જડ્યા પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેનાં લૂગડાં માહોમાંહે વહેંચી લીધાં.

36 પછી તેઓએ ત્યાં બેસીને તેની ચોકી કીધી.

37 અને તે સંબંધીનું લખેલું તહોમતનામું તેના માથાની ઉપર લગાડ્યું કે, ઇસુ જે યહુદીઓનો રાજા, તે એજ છે.

38 ત્યારે તેઓએ તેની જોડે ચોરને વધસ્તંભે જડ્યા, એકને જમણી તરફ ને બીજાને ડાબી તરફ.

39 અને પાસે થઈને જનારાઓએ પોતાના માથાં હલાવતાં તથા તેના નિંદા કરતાં

40 કહ્યું કે, અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દહાડામાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું દેવનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઉતરી અવ.

41 અને તેજ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સુદ્ધાં ઠઠ્ઠા કરતાં કહ્યું કે,

42 બીજાઓને તેણે બચાવ્યા, તે પોતાને બચાવી નથી શકતો; એ તો ઇસ્રાએલનો રાજા છે, તે હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે, ને અમે તેના પર વિશ્વાસ કરીશું.

43 તે દેવ પર ભરોસો રાખે છે, જો તે તેને ચાહે છે તો હમણાં તેનો છુટકો તો કરે; કેમકે તેણે કહ્યું હતું કે હું દેવનો દીકરો છું.

44 અને જે ચોરોને તેની જોડે વધસ્તંભે જડ્યા હતા, તેઓએ પણ તેમજ તેની નિંદા કીધી.

45 અને છઠ્ઠી હોરાથી નવમી હોરા સુધી આખા દેશ પર અંધકાર પડ્યો.

46 અને આસરે નવમી હોરાએ ઇસુએ મોટે ઘાટે બૂમ પાડતાં કહ્યું કે, એલી, એલી, લામા સાબાખ્થાની, એટલે, ઓ મારા દેવ, મારા દેવ, તેં મને કેમ મુકી દિહો છે?

47 અને જેઓ ત્યાં ઉભા હતા તેઓમાંથી કેટલાએક સાંભળીને કહ્યું કે, એલીયાહને તે બોલાવે છે.

48 અને તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સિરકાથી ભીંજવી, ને લાકડીની ટોચે બાંધીને તેને ચુસવા આપી.

49 પણ બીજાઓએ કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલીયાહ એને છોડાવવા આવે છે કે નહિ.

50 પછી ઇસુએ બીજી વાર મોટે ઘાંટે બૂમ પાડીને પ્રાણ મુક્યો.

51 ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના બે ભાગ થઇ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા,

52 ને કબરો ઉઘડી ગઇ, ને ઉંઘેલા સંતોના ઘણાં શરીર ઉઠ્યા,

53 ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા, ને ઘણાઓને દેખાયા.

54 ત્યારે જમાદારે તથા તેની સાથે જેટલા ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપારો તથા જે જે થયું, તે જોઇને બહુ બીતાં કહ્યું કે, ખરેખર એ દેવનો દીકરો હતો.

55 અને ત્યાં ઘણી બાયડીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેની પાછળ આવી હતી, તેઓ આધેથી જોયાં કરતી હતી.

56 તેઓમાં મરિયમ માગદાલેણ, ને યાકુબની તથા યોસીની મા મરિયમ, તથા ઝબદીના દીકરાઓની મા હતી.

57 અને સાંજ પડી ત્યારે યુસફ નામે આરીમથાઈનો એક દ્રવ્યવાન માણસ આવ્યો, જે પોતે પણ ઇસુનો શિષ્ય હતો,

58 તેણે પીલાત પાસે જઇને ઇસુની લાસ માગી, ત્યારે પીલાતે તે સોંપવાની આજ્ઞા કીધી.

59 પછી યુસફે લાસ લઇને સણને ઉજળે લુગડે તે વિંટાળી.

60 અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મુકી, ને એક મોટો પત્થર કબરના મ્હો પર ગબડાવીને તે ચાલ્યો ગયો.

61 ત્યારે મરિયમ માગદાલેણ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠી હતી.

62 અને સિદ્ધિકરણને બીજે દહાડે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પીલાત પાસે એકઠા થઈને

63 કહ્યું કે, સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ત્રણ દહાડા પછી હું ઉઠીશ.

64 એ માટે ત્રણ દહાડા સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા કર, રખે તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય, ને લોકોને કહે કે, મુએલાંઓમાંથી તે ઉઠ્યો છે, અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે.

65 ત્યારે પીલાતે તેઓને કહ્યું કે, ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ, ને તમારી બને તેવો તેનો જાપતો રખાવો.

66 પછી તેઓ ગયા, ને પત્થર પર મહોર કરીને, તેઓએ કબર પર જાપતો રાખ્યો, અને ચોકીદારો તેમની સાથે હતા.