1 હવે દાઉદના છેલ્લાં વચનો આ છે. યિશાઈનો દીકરો દાઉદ કહે છે, ને જે માણસ ઉંચી પદ્વીએ ચઢ્યો હતો તે, એટલે યાકૂબના દેવનો અભિષિક્ત, ઇસ્રાએલનો મધુર ગીતકર્તા કહે છે;

2 યહોવાહનો આત્મા મારી મારફતે બોલ્યો, ને તેનું વચન મારી જીભ પર હતું.

3 ઇસ્રાએલના દેવે કહ્યું, ઇસ્રાએલના ખડકે મને કહ્યું કે, મનુષ્ય પર જે નેકીથી રાજ્ય કરે છે, તથા જે યહોવાહનો ભય રાખીને રાજ્ય કરે છે,

4 તે સવારના એટલે સૂર્યોદયના પ્રકાશ જેવો, એટલે નીર્મેઘ સવારના પ્રકાશ જેવો થશે; કે જયારે વૃષ્ટિ પછીના ખુલ્લા પ્રકાશથી, કુમળું ઘાસ ભૂમિમાંથી ઉગી નિકળે છે.

5 ખચિત મારૂં ઘર દેવ પ્રત્યે એવું નથી; તો પણ તેણે મારી સાથે સદાનો કરાર કીધો છે, તે સર્વ પ્રકારે વ્યવસ્થિત તથા નક્કી છે; કેમકે તે મારૂં સઘળું તારણ, તથા સઘળી ઈચ્છા છે, ને તેને વધારતો નથી, તો પણ એ પ્રમાણે છે.

6 પરંતુ બલીયઆલપુત્રો તો સઘળા ઝાડી કાઢવાના કાંટા જેવા થશે; કેમકે તેઓ હાથે પકડાય નહિ;

7 પણ જે માણસ તેઓને અડકે, તે લોઢાથી તથા ભાલાના દાંડાથી સજેલો હોવો જોઈએ, ને તેઓ જ્યાં હોય ત્યાંજ અગ્નિથી છેક બાળી નાખવામાં આવશે.

8 દાઉદના શૂરવીરોનાં નામ આ છે; મુખ્ય સરદાર તાહખમોની યોશેબબાશ્શેબેથ જે અસ્ની અદીનોએ એકી વેળાએ આઠસેને માર્યા હતા તેજ એ હતો.

9 અને તેની પછી અહોહીનો દીકરો દોદોનો દીકરો એલઆઝાર હતો; જયારે પલિસ્તીઓ લડાઈને સારૂ એકઠા થયા, ને ઇસ્રાએલના માણસો જતાં રહ્યા, ત્યારે દાઉદની સાથેના જે ત્રણ શૂરા માણસોએ તેમને તુચ્છ કીધા, તેઓમાંનો એક તે હતો;

10 તે ઉઠ્યો ને તેનો હાથ થાકી જઈને તરવાર સાથે તેઓની સામે લડ્યો અને તેણે પલિસ્તીઓને માર્યા; ને યહોવાહે તે દિવસે મોટો જય કીધો. એલઆઝારે પલિસ્તીઓને હરાવ્યા પછી તેની પાછળ ફકત લૂંટવાને ગયા.

11 અને તેથી ઉતરતો આગીનો પુત્ર હારારનો શામ્માહ હતા; ત્યારે લોક પલિસ્તીઓની સામણેથી નાઠા.

12 પણ એણે તો ખેતરની વાંચે ઉભા રહીને તેનું રક્ષણ કર્યું, ને પલિસ્તીઓને માર્યા; ને યહોવાહે મોટો જય કીધો.

13 અને ત્રીસ મુખ્ય માણસોમાંથી ત્રણ જણ નિકળીને કાપણીની વેળાએ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં આવ્યા; ને પલિસ્તીઓની ટુકડીએ રફાઈમના નીચાણમાં છાવણી નાખેલી હતી.

14 અને દાઉદ ગઢમાં હતો, ને તે વેળા પલિસ્તીઓનું થાણું બેથલેહેમમાં હતું.

15 અને દાઉદે તરસથી તલપીને કહ્યું, બેથલેહેમના દરવાજા પાસેના કુવાનું પાણી મને પીવાને કોઇ લાવી આપે તો કેવું સારૂં!

16 ને તે ત્રણ યોદ્ધાઓ પલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા, ને બેથલેહેમના દરવાજા પાસેના કુવાનું પાણી કાઢીને તેઓ દાઉદ પાસે લઇ આવ્યા તો પણ તેમાંથી પીવા ન ચાહતાં તેણે તે યહોવાહ આગળ રેડી દીધું.

17 અને તેણે કહ્યું કે, હે યહોવાહ, એ કરવું મારાથી દૂર રહો; જે માણસો પોતાના જીવ જોખમમાં નાખીને ગયા, તેઓનું રક્ત શું હું પીઉં? માટે તે તેણે પીધું નહિ; એ કૃત્યો એ ત્રણ શૂરવીરોએ કર્યા.

18 અને સરૂયાહનો દીકરો યોઆબનો ભાઇ અબીશાય એ ત્રણેમાં મુખ્ય હતો; ને તેણે પોતાનો ભાલો ત્રણસે માણસો વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા ને ત્રણેમાં તેણે નામના કરી.

19 અને તે શું ત્રણેમાં સૌથી વિશેષ નામીચો ન હતો; એ કારણ માટે તેને તેઓને નાયક ઠરાવ્યો હતો; તો પણ તે પહેલાં ત્રણની બરાબરી કરી શકે એવો ન હતો.

20 અને કાબ્સએલના શૂરવીર તથા પરાક્રમી કૃત્યો કરનાર માણસના દીકરા યહોયાદાના દીકરા બનાયાહે, મોઆબના અરીએલના બે દીકરાઓ ને માર્યા; વળી તેણે હિમના દિવસોમાં ખાડામાં ઉતરીને તેની વચમાં સિંહને માર્યો.

21 અને તેણે એક દેખાવડા મિસરીને માર્યો; ને તે મિસરીના હાથમાં ભાલો હતું; પરંતુ ફકત લાકડી લઈને તે તેહી પાસે ગયો, ને તે મિસરીના હાથમાંથી ભાલો ખુંચવી લઈને, તેનાજ ભાલાથી તેનો પ્રાણ લીધો.

22 એ કૃત્યો કરીને યહોયાદાના દીકરા બનાયાહે તે ત્રણ યોદ્ધાઓમાં નામ મેળવ્યું.

23 પેલા ત્રીસ જણાએ કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે પહેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. અને દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી ઉપર નિમ્યો હતો.

24 યોઆબનો ભાઇ અસાહેલ, એ પેલા ત્રીસમાંનો એક હતો; અને દોદો બેથલેહેમીનો દીકરો એલ્હાનાન;

25 શામ્માહ હરોદી, અલીકા હરોદી;

26 હેલેસ પાલટી, ઇક્કેશ તકોઈનો દીકરો ઇરા;

27 અબીએઝેર અનાથોથી, મબુન્નાથ હુશાથી;

28 સાલ્મોન અહોહી, મહારાય નાટોફાથી;

29 બાઆનાહ નાટોફાથીનો દીકરો હેલેબ, બિન્યામીનપુત્રોના ગિબઆહના રીબાયનો દીકરો ઇત્તાય;

30 બનાયાહ પિરઆથોની, ગાઆશના નાળાનો હિદ્દાય;

31 અબી-આલ્બોન આર્બાથી, આઝ્માવેથ બાર્હુમી;

32 એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દીકરા ઓમાંનો યોનાથાન;

33 શામ્માહ હારારી, શારાર અરારીનો દીકરો અહીઆમ;

34 માઅખાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહીથોફેલ ગિલોનીનો દીકરો અલીઆમ;

35 હેસ્રો કાર્મેલી, પાઅરાય આર્બી;

36 સોબાહના નાથાનનો દીકરો યિગઆલ, બાની ગાદી;

37 સેલેક આમ્મોની, નાહરાય બએરોથ; નાહરાય સરૂયાના દીકરા યોઆબના શસ્ત્રધારો.

38 ઇશ યિથ્રી, ગારેબ યિથ્રી;

39 ઊરિયાહ હિત્તી; સઘળાં મળીને સાડત્રીસ.