1 અને કેટલાએક યહુદાહથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મુસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે તારણ પામી શકતા નથી.
2 અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની જોડે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી [ભાઈઓએ] ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ તથા પોતાનામાંના બીજા કેટલાએક એ વિવાદ સંબંધી યરુશાલેમમાંના પ્રેરીતો તથા વડીલો પાસે જાય.
3 એ માટે મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફેનીકે તથા સમરુનમાં થઈને જતાં વિદેશીઓના [પ્રભુ ભણી] ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, ને સઘળા ભાઈઓને ઘણો આનંદ ઉપજાવ્યો.
4 અને તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે મંડળીએ તથા પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો અંગીકાર કીધો, ને દેવે જે સર્વ તેઓની હસ્તક કર્યું હતું તે તેઓએ કહી બતાવ્યું.
5 પણ ફરોશી પંથના કેટલાએક વિશ્વાસ કરનારાઓએ ઉઠીને કહ્યું કે, તેઓની સુન્નત કરાવવી, તથા મુસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.
6 ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.
7 અને ઘણો વાદવિવાદ થયા પછી પીતરે ઉઠીને તેઓને કહ્યું કે, ભાઈઓ તમે જાણો છો કે ઘણાએક દિવસ ઉપર દેવે તમારામાંથી મને પસંદ કરીને [ઠરાવ્યું] કે મારા મ્હોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે ને વિશ્વાસ કરે.
8 અને અંતઃકરણના જાણનાર દેવે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિષે શાહેદી પુરી,
9 અને વિશ્વાસથી તેઓનાં મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.
10 તો હવે જે ઝુસરી આપણા પૂર્વજો તેમજ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મુકીને દેવનું પરીક્ષણ કેમ કરો છો?
11 પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે, તેમ આપણે પણ પામીશું, એવું આપણે માનીએ છીએ.
12 ત્યારે સઘળા લોક છાના રહ્યા; ને બાર્નાબાસ તથા પાઉલની હસ્તક દેવે જે ચમત્કારો તથા અચરત કામો વિદેશીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મ્હોથી સાંભળી.
13 અને તેઓ બોલી રહ્યા પછી યાકુબે ઉત્તર આપતા કહ્યું કે, ભાઈઓ, મારૂ સાંભળો;
14 પહેલાં દેવે વિદેશીઓમાંથી પોતાના નામને સારૂ એક પ્રજાને [પસંદ કરી] લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ to સીમોને કહી બતાવ્યું છે.
15 ને ભવિષ્યવાદીઓની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખ્યું છે તેમ કે,
16 એ પછી હું પાછો આવીશ, ને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; ને તેનાં ખંડીયેર સમારીશ, ને તેને પાછો ઉભો કરીશ;
17 એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
18 પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.
19 માટે મારો અભિપ્રાય એવો છે કે વિદેશીઓમાંથી દેવ ભણી જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;
20 પણ તેઓને એમ લખી મોકલીએ કે તમારે મૂર્તિઓના અમંગળપણાથી, તથા વ્યભિચારથી, તથા ગુંગળાઈને મરેલાથી, તથા લોહીથી આઘા રહેવું.
21 કેમકે મુસાની વાત દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વંચાય છે તેથી તેના પ્રગટ કરનારા પ્રાચિનકાળથી હરેક શહેરમાં છે.
22 ત્યારે આખી મંડળી સુદ્ધાં પ્રેરિતોને તથા વડીલોને એમ સારૂ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહુદા જે બર્સાબાસ કહેવાય છે તે, તથા સીલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બર્નાબાસની સાથ અંત્યોખ મોકલવા.
23 તેઓની હસ્તક તેઓએ એમ લખી મોકલ્યું કે, સૂરિયામાં તથા કિલકીમાં, વિદેશીઓમાંના જે બાઈઓ છે, તેઓને પ્રેરિતો તથા વડીલ ભાઈઓની કુશળતા;
24 અમે એવું સાંભળ્યું છે કેઅમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ [તમારી પાસે] આવીને [પોતાની] વાતોથી તમારા મન ભભાવીને તમને ગુંચવણમાં નાખ્યા છે;
25 એ માટે અમોને સર્વાનુંમાંતિવું સારૂ લાગ્યું કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ,
26 કે જેઓએ આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તના નામને સારૂ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.
27 માટે અમે યહુદાને તથા સીલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને મ્હોડે મ્હોડ એજ વાતો કહેશે.
28 કેમકે પવિત્ર આતમને તથા અમને એ સારૂ લાગ્યું કે આ આગત્યની વાતો કતા ભારે બોજો તમારા પર નહિ મુકવો;
29 એટલે કે, મૂર્તિઓને અર્પણ કેરલી વસ્તુઓથી, તથા લોહીથી, તથા ગુંગળાઈને મરેલાથી, તથા વ્યભિચારથી તમારે આઘા રહેવું; જો તમે એ વાતોથી અગળા રહેશો, તો તમારું ભલું થશે; તમને કુશળતા થાઓ.
30 પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; ને લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
31 અને તેઓ તે વાંચીને તેમાંના દિલાસાથી આનંદ પામ્યા.
32 અને યહુદા તથા સીલાસ કે જેઓ પોતે પણ ભવિષ્યવાદીઓ હતા, તેઓએ ઘણી વાતોથી ભાઈઓને સુબોધ કીધો, ને તેઓનાં મન સ્થિર કીધાં.
33 અને તેઓએ કેટલીક મુદત ત્યાં ગાળ્યા પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારૂ ભાઈઓ પાસેથી તેઓ શાંતિએ વિદાયગીરી પામ્યા.
34 [[પણ સીલાસને to ત્યાં રહેવું સારૂ લાગ્યું]]
35 પણ પાઉલ તથા બર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાઓ સુદ્ધાં પ્રભુની વાતનો બોધ તથા ઉપદેશ કરતા રહ્યા.
36 અને કેટલાએક દિવસ પછી પાઉલે બર્નાબાસને કહ્યું કે, ચાલો, હવે આપણે પાછા વાળીએ, અને જે હરેક શહેરમાં આપણે પ્રભુની વાત પ્રગટ કીધી હતી, તેમાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને [જોઈએ કે]તેઓ કેમ છે.
37 અને યોહાન જે માર્ક કેહવાય છે, તેને પણ સાથે લેવાનું બર્નાબાસનું મન હતું.
38 પણ પાઉલ એમ ધાર્યું કે જે આપણને પામ્ફૂલ્યામાં મુકીને જતો રહ્યો, ને આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે તેડી જેવો એ યોગ્ય નથી.
39 ત્યારે એવી તકરાર ઉઠી કે તેઓ એક બીજાથી જુદાં થયા, ને બર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બસીને કુપરસ ગયો.
40 પણ પાઉલે સીલાસને પસંદ કીધો, ને ભાઈઓએ તેને દેવની કૃપાને સોંપ્યો પછી તે ચાલી નીકળ્યો.
41 અને સૂરિયામાં તથા કિલકીમાં ફરીને તેણે મંડળીઓને દૃઢ કીધી.