1 અને પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ્ય યાજક, કેટલાક વડીલોને તથા તેર્તુલાસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, ને તેઓએ હાક્મની આંગળ પાઉલની વિરુદ્ધ હકીકત રજુ કરી.
2 અને તેને બોલાવી મંગાવ્યો ત્યારે તેર્તુલસે નીચે પ્રમાણે બોલીને તેના પર તહોમત મુકવા માંડ્યું કે, ઓ નેકનામદાર ફેલીકસ, તારાથી અમે બહુ સુખચેન પામીએ છીએ, ને તારા દુરંદેશીપણાથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે,
3 તે આમે સર્વ પ્રકારે અને સર્વ સ્થળે પુરી કૃતજ્ઞતાથી માન્ય કરીએ છીએ.
4 પણ હું તને વધારે તસ્દી ન દઉં માટે હું તને વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળ.
5 કેમકે આ માણસ પીડાકારક તથા આખા જગતના સઘળા યહુદીઓમાં હંગામો ઉઠાવનાર તથા નાઝારીઓના પંથનો આગેવાન એવો અમને માલમ પડ્યો છે.
6 તેણે મંદિરને પણ અશુદ્ધ કરવાને યાતન કીધા, ત્યારે અમે એને પકડ્યો; [[અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહાતા હતા.
7 પણ લુસયસ સરદારે આવીને બહુ બળાત્કાર વાપરીને અમારા હાથમાંથી એને છોડાવી લીધો.
8 ને એના ફરિયાદીઓને તારી પાસે આવવાની આજ્ઞા કીધી]] એની તપાસ તું પોતે કરવાથી જે સઘળા વિશે અમે એના પર દોષ મુકીએ છીએ તે તેનાથી જાણી શકશે.
9 આને યહુદીઓએ પણ ફરિયાદ સામેલ થઈને કહ્યું કે, એ વાતો એમજ છે.
10 અને હાકેમે પાઉલને બોલવાનો ઇસારો કીધો, ત્યારે તેણે ઉત્તર દીધો કે, ઘણાં વર્ષ થયા તું આ દેશનો ન્યાયાધીશ છે, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું.
11 કેમકે [પુછવાથી] તને માલમ પડશે કે હું ભજન કરવા સારૂ યરુશાલેમમાં ગયો, તેને બાર કરતાં વધારે દિવસ નથી થયા.
12 અને મંદિરમાં કે સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને દીઠો નથી.
13 અને મારા પર જે તહોમતો તેઓ હમણાં મુકે છે તેની સાબિતી તેઓ તારી આગળ કરી શકતા નથી.
14 પણ તારી આગળ હું આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ પાખંડ કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના દેવની ભક્તી કરું છું, જે વાતો નિયમશાસ્ત્રમાં તથા ભવિષ્યવાદીઓના પુસ્તકમાં લખેલી છે તે સઘળી હું માનું છું.
15 અને હું દેવ વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.
16 વળી હું એવો યત્ન કરું છું કે, દેવની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકારણ રાખું.
17 હવે ઘણા વરસ પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો.
18 તે દરમ્યાન તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો દીઠો, પણ ભીડ કે ગડબડ સાથે નહિ; પણ આસિયાના કેટલાક યહુદીઓ [ત્યાં હતા],
19 જે જેઓએ, મારી વિરુદ્ધમાં જો તેઓને કંઈ બોલવાનું હોત, તો અહીં તારી પાસે આવીને તહોમત મુકવું જોઈતું હતું.
20 નહિ તો આ માણસો પોતે કહી બતાવી કે, હું ન્યાયસભાની આગળ ઉભો હતો ત્યારે મારામાં શો ગુન્હો તેઓને માલમ પડ્યો હતો?
21 એટલું તો ખરૂં, કે તેઓની મધ્યે ઉભા રહીને મેં આ એક વાત કહી કે, મુએલાઓમાંથીપુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજ મારો ન્યાય કરવાના આવે છે.
22 પણ ફેલીકસને તે માર્ગ વિષે વધારે ચોકસ જ્ઞાન હતું,માટે તેણે મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુસીઅસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ.
23 અને તેણે સુબેદારને આજ્ઞા કીધી કે, તેને પહેરામાં રાખવો પણ તેને છૂટ આપવી, ને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.
24 પણ કેટલાએક દિવસ પછી ફેલીકસ પોતાની વહુ દ્રુસીલા, જે યહુદેણ હતી, તેની સાથે આવ્યો, ને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિષે તેની વાત સાંભળી.
25 અને ન્યાયપણા તથા સ્વદમન તથા આવનાર ન્યાયકાળ વિષે તે સમજાવતો હતો, ત્યારે ફેલીકસે ભયભીત થઈને ઉત્તર દીધો કે, હમણાં to તું જા, મને અનુકુળ પ્રસગ મળે હું તને મારી પાસે બોલાવીશ.
26 અને તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા આપશે; એ સારૂ તે તેને ઘણી વાર બોઅવીને તેની સાથે વાતચીત કરતો હતો.
27 પણ બે વરસ પછી પોર્કિયસ ફેસ્તસ ફેલીકસને ઠેકાણે આવ્યો, ને ફેલીકસ યહુદીઓને પ્રસન્ન કરવા ચાહીને પાઉલને બંધનમાં મૂકી ગયો.