1 ત્યારે પાઉલે ન્યાય્સભાની સાને એકી નજરે જોઇને કહ્યું કે, ભાઈઓ, હું આજ સુધી શુદ્ધ અંતઃકરણથી દેવ પ્રત્યે વર્ત્યો છું.

2 ત્યારે અનાન્યા પ્રમુખ્ય યાજકે તેની પાસે ઉભા રહેનારાઓને તેના મ્હો પર મારની આજ્ઞા કીધી.

3 ત્યારે પાઉલે તેને કહ્યું કે, ઓ ધોળેલી ભીંત, દેવ તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?

4 અને પાસે ઉભા રહેનારાઓએ કહ્યું કે, શું તું દેવના પ્રમુખ્ય યાજકની નિંદા કરે છે?

5 ત્યારે પાઉંલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ્ય યાજક છે, તે હું જાણો ન હતો, કેમકે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ભુંડું બોલવું નહિ.

6 પણ પાઉલે જોયું કે કે એક ભાગ સાદુકીઓનો, ને બીજો ફરીશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે,, ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા બાપદાદા ફરોશી હતા,ને મુએલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત મારો ન્યાય કરવામાં આવે છે.

7 અને તેણે એમ કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સાદુકીઓની વચ્ચે તકરાર ઉભી થઇ, ને સભામાં પક્ષ પડયા.

8 કેમકે સાદુકીઓ કહે છે કે, પુનરુત્થાન નથી, ને દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બેઉ વાત કબૂલ કરે છે.

9 ત્યારે મોટી હોહા થઇ; ને ફરોશીઓનાપક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઉઠ્યા, ને રકઝક કરતાં કહેવા લાગ્યાં કે, આ માણસમાં અમે કાઈ અપરાધ જોતા નથી; અને કદાચને આત્માએ અથવા દૂતેને કંઈ કહ્યું હોય કે શું?

10 અને તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કકડે કકડા કરશે, એવું ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કીધી કે, જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં આણો.

11 અને તેજ રાત્રે પ્રભુએ તેની પાસે ઉભા રહીને કહ્યું કે, હિમ્મત રાખ; કેમકે જેમ મારે વિષે તે યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રૂમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.

12 અને દિવસ ઉગ્યા પછી યહુદીઓએ સંપ કીધો,ને સોગનથી બંધાયા કે, પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.

13 અને આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.

14 અને તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, અમે આક્ર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ ત્યાં સુધી અમારે કંઈ પણ જીભ પર નુકવું નહિ.

15 માટે જાણે કે તેની બાબત તમારે વધારે બારીકીથી તજવીજ કરવી હોય [એવી બહાને] સભા સુદ્ધાં તમે સરદારને એવી સુચના આપી કે, તે તેને તમારી પાસે રજુ કરે, ને અમે, તે પહોંચે ત્યાર પેહેલાં તેને મારી નાખવાને તૈયાર છીએ.

16 પણ પાઉલના ભાણેજ તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કીલ્લામાં જઈને પાઉલને ખબર આપી.

17 ત્યારે પાઉલે સુબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, આ જુવાનને સરદારની પાસે લઇ જા; કેમકે એ તેને ઈન કહેવા માગે છે.

18 ત્યારે તેણે સરદારની પાસે તેને તેડી જઈને કહ્યું કે, પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કીધી કે, આ જુવાનને સરદારની પાસે લઇ જા, કેમકે એ તેને કંઈ કહેવા માગે છે.

19 ત્યારે સરદાર તેનો હાથ પકડીને તને એકાંતમાં લઇ ગયો, ને ખાનગી રીતે પૂછ્યું કે, મને તારે શું કહેવાનું છે?

20 ને તેણે કહ્યું કે, યહુદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કીધો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે બારીકીથી તજવીજ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઇ આવે.

21 એ માટે તું એઓનું માનતો ના, કેમકે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તને સારૂ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; ને હમણાં તેઓ તૈયાર છે અને તારી વચનની વાત જુએ છે.

22 ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કીધો કે, તે આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહેતો ના.

23 પછી તેને સુબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, બંસે સિપાઈઓને, તથા સિત્તેર સ્વારોને તથા બંસે બરછીવાળાને, પહોર રાત્રે કાઈસારીઆ સુધી જવાને તૈયાર રાખો;

24 ને પાઉલને માટે જાનવર મેળવી રાખો કે તેને બેસાડીને હાકેમ ફેલીકસ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.

25 અને તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે,

26 નેક નામદાર ફેલીકસ હાકેમને કલાદીઅસ લુસયસની સલામ.

27 આ માણસને યહુદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રૂમી છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે જઈને એને છોડાવી લાવ્યો.

28 અને તેઓ એના પર શા કારણથી દોષ મુકે છે એ જાણવા સારૂ હું તેઓની ન્યાયસભામાં એને લઇ ગયો.

29 ત્યારે મને માલમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ એનાં પર દોષ મુકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ એના પર મુકતા નથી.

30 અને જયારે મને ક્ખબર મળી કે એ માણસનું વિરુદ્ધ કાવતરું રચવાનું છે, તેજ વેળાએ મેં એને તરત તારી પાસે મોકલ્યો, ને ફરિયાદીઓને પણ આજ્ઞા કીધી કે, એની વિરુદ્ધ [જે કહેવું હોય તે] તેઓ તારી આગળ કહે.

31 ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતીપાત્રસમાં આવ્યા.

32 પણ બીજે દિવસે સ્વારોને તેની સાથે જવા સારૂ મુકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.

33 અને કાઈસારીઆમાં તેઓ પહોંચ્યા પછી હાકેમને પત્ર આપ્યો, ને પાઉલને પણ તેની આગળ ઉભો કીધો.

34 અને તેણે તે વાંચીને પૂછ્યું કે, એ કયા પ્રાંતનો છે? અને જયારે તેને માલુમ પડ્યું કે, તે કીલકીનો છે,

35 ત્યારે તેણે કહ્યું કે, ફરિયાદીઓ આવ્યા પછી હું તારી મુકરદમાની તપાસ કરીશ; ને તેણે એવી આજ્ઞા કીધી કે, હેરોદના દરબારમાં તેને પહેરામાં રાખો.