1 તથા મંદિરનો સરદાર, તથા સાદુકીઓ તેઓ પર ઉઠી આવ્યા; અને તેઓ લોકો આગળ વાત કરતા હતા એટલામાં યાજકો,
2 કેમકે તેઓ લોકોને બોધ કરતા હતા, ને ઇસુમાં મુએલાઓનું પુનરુત્થાન પ્રગટ કરતા હતા, તે તેઓને બહુ માઠું લાગ્યું.
3 અને તેઓએ તેમના પર હાથ નાખ્યા, ને તે વેળા સાંજ પડી હતી, માટે બીજા દિવસ લગી તેઓને બંદીખાનામાં રાખ્યાં.
4 તોપણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કીધો, ને તે માણસોની સંખ્યા આસરે પાંચ હજારની થઇ.
5 અને બીજે દિવસે એમ થયું કે, તેઓના અધિકારીઓ તથા વડીલો તથા શાસ્ત્રીઓ,
6 તથા આન્નાસ પ્રમુખ્ય યાજક તથા કાયાફાસ તથા યોહાન તથા આલેકસાંદર તથા પ્રમુખ્ય યાજકના સગામાંના જેટલા હતા તેટલાં યરૂશાલેમમાં એકઠા થયા.
7 અને એઓએ તેઓને વચમાં ઉભા રાખીને પુછ્યું કે, કયા પરાક્રમે, કે કયા નામે તમે એ કર્યું છે?
8 ત્યારે પીતરે પવિત્ર આત્માંથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ, તથા વડીલો,
9 જે સારું કામ એક અશક્ત માણસના હકમાં થયું છે, તે વિષે જો આજ અમારી તપાસ થાય છે કે તે શાથી સાજો થયો છે,
10 તો તમ સર્વને તથા સંઘા ઇસ્રાએલી લોકોને એ માલુમ થાય કે, ઇસુ ખ્રિસ્ત નાઝારી, જેને તમે વધસ્તંભ પર મારી નાખ્યો, જેને દેવે મુએલાઓમાંથી ઉઠાડ્યો, તેના નામથી આ માણસ અહીં તમારી આગળ આજો ઉભો રહ્યો છે.
11 જે પત્થર તમ બંધનારાઓએ નકાર્યો હતો તે એજ છે, ને તે ખુણાનું મથાળું થયો છે.
12 અને બીજા કોઇથી તારણ નથી, કેમકે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસો મધ્યે આપેલું નથી.
13 ત્યારે પીતર તથા યોહાનની હિમ્મત જોઇને, તથા તેઓ અભણ તથા અજ્ઞાની માણસો છે, એ ઘ્યાનમાં આણીને એઓ અચરતી પામ્યો, ને તેઓએ તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.
14 અને તે સજા થએલા માણસને તેઓની સાથે ઉભો રહેલો જોઇને એઓથી કંઈ ઉલટું બોલી શકાયું નહિ.
15 પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કીધા પછી તેઓએ માહોમાંહે વિચાર કરીને કહ્યું કે, આ માણસોને આપણે શું કરીએ?
16 કેમકે તેઓની મારફતે એક પ્રસિદ્ધ ચમત્કાર થયો છે, એ to યરૂશાલેમના સઘળા રહેવાસીઓને પ્રગટ છે; ને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી.
17 પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી દઈએ કે હવે પછી તમારે કોઈપણ માણસ સાથે વાત કરતાં એ નામ લેવું નહિ.
18 અને એઓએ તેઓને બોલાવીને તાકીદ કીધી કે, વાત કરતાં તેમજ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.
19 પણ પીતર તથા યોહાને તેઓને ઉત્તર દેતા કહ્યું કે, દેવના કરતા તમારું સાંભળવું દેવની નજરમાં યોગ્ય છે કે નહિ, એ તમેજ ઠરાવો.
20 કેમકે અમે જે જે દીઠું, તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.
21 અને તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ તેઓને ફરી ધમકી દીધા પછી લોકોને લીધે તેમને છોડી દીધા; કેમકે જે થયું હતું તેને લીધે સઘળા [લોકો] દેવને મહિમા આપતા હતા.
22 કેમકે જે માણસના હકમાં આ સાજો કરવાનો ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે વયનો હતો.
23 અને તેઓ છુટીને પોતાના સાથીઓ પાસે ગયા, ને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેઓને કહી સંભળાવ્યું.
24 અને તે સાંભળીને તેઓએ એક ચિત્તે દેવની આગળ ઘાંટો પાડીને કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર ને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર [તું છે];
25 તે તારા સેવક અમારા પિતા દાઉદના મ્હોથી પવિત્ર આત્માને પ્રેરણાએ કરીને કહ્યું છે કે, વિદેશીઓએ કેમ તોફાન કીધું છે, ને લોકોએ કેમ વ્યર્થ કલ્પના કીધી છે?
26 પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રીસ્તની વિરુદ્ધ પૃથ્વીના રજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા;
27 કેમકે ખરેખર તારો પવિત્ર સેવક ઇસુ જેને તે અભિષિક્ત કીધો, તેને ઉલટા હેરોદ તથા પંતીઅસ પીલાત, વિદેશીઓ તથા ઇસ્રાએલી લોકો સુદ્ધાં આ શહેરમાં એકઠા થયા;
28 એ સારૂ કે તારા હાથે તથા તારા મનસુબાએ જે થવાનાં આગળથી ઠરાવ્યાં હતા તે સઘળા તેઓ કરે.
29 હવે, હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે, ને તારા સેવકોને તારી વાત પુરી હિમ્મતથી કહેવાનું [સામર્થ] આપ;
30 તેટલામાં તું લોકોને નિરોગી કરવાને તારો હાથ લાંબો કર; ને તારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારો તથા અદભૂત કામો કરાવ.
31 અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; ન તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપુર થયા, ને દેવની વાત હિમ્મતથી બોલવા લાગ્યા.
32 અને વિશ્વાસીઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો ને પોતાના જે વાનાં હતા તેમનું કંઈ મારું પોતાનું છે એવું કોઈએ કહ્યું નહિ; પણ તેઓને સઘળાં વાનાં સામાન્ય હતાં.
33 અને પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પુરી; ને તેઓ સર્વ પણ ઘણી કૃપા હતી.
34 અને તેઓમાંના કોઈને કશાની અછત ન હતી; કરણ કે જેટલાની પાસે ભોંય કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યાં,
35 ને વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા; ને જેવી જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વહેંચી આપવામાં આવતું.
36 અને યુસફ કરીને એક લેવી હતો, જે કુપ્રેસનો વાતની હતો, અને જેની અટક પ્રેરિતોએ બર્નાબાસ (એટલે સુબોધનો દીકરો) પાડી હતી,
37 તેને ભોંય હતી તે તેણે વેચી, અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મુક્યા.