1 અને બપોરને વખતે તે તંબુના બારણામાં બેઠો હતો ત્યારે યહોવાહે મામરેનાં એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું.

2 અને તેણે આંખો ઉંચી કરીને જોયું, ને જુઓ, ત્રણ પુરુષ તેની પાસે ઉભા હતા, ને તેમને જોઇને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો, ને પ્રણામ કર્યા,

3 ને કહ્યું કે, મારા ઘણી, જો તારી દૃષ્ટિમાં હું હવે કૃપા પામ્યો હોઉં, તો તું પોતાના દાસ પાસેથી જતો ન રહીશ.

4 હવે થોડું પાણી લાવવા દો, ને તમે પગ ધુઓ, ને ઝાડ તળે આરામ લો,

5 ને હું થોડી રોટલી લાવું, ને તમે પોતાના મન ખુશ કરો; પછી તમે આગળ જજો; કેમકે એજ વાસ્તે તમે પોતાના દાસ પાસે આવ્યા છો; ને તેઓએ કહ્યું કે, જેમ તે બોલ્યો છે તેમ કર.

6 અને ઇબ્રાહીમ સારાહની પાસે તંબુમાં ઉતાવળે ગયો, ને કહ્યું, ત્રણ માપ મીડો ઉતાવળે મસળ, ને રોટલી તૈયાર કર.

7 અને ઈબ્રાહીમ ઢોર હતા ત્યાં દોડી ગયો, ને એક સારું ને કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, ને તે વહેલો વહેલો તૈયાર કરવા મંડી ગયો.

8 અને તેણે માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે કીને તેઓની આગળ મુક્યા ને પોતે તેઓની પાસે ઝાડ તળે ઉભો રહ્યો, ને તેઓએ ખાધું.

9 પછી તેઓએ તેને કહ્યું કે, તારી બાયડી સારાહ ક્યાં છે? તેણે કહ્યું કે, જુઓ, તંબુમાં છે.

10 અને તે બોલ્યો, હું ખચિત તારી પાસે સમય આવ્યો પાછો આવીશ, ને જો, તારી બાયડી સારાહને દીકરો થશે; ને તેની પછવાડે તમ્બુનું બારણું હતું ત્યાંથી સારાહે તે સાંભળ્યું.

11 હવે ઈબ્રાહીમ તથા સારાહ ઘરડા હતા, ને તેઓને બહુ વર્ષ થયાં હતા, ને સરાહને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું.

12 અને સારાહ મનમાં હસીને બોલી,હું ઘરડી થઇ, ને મારો ઘણી પણ ઘરડો છે, તે પછી શું મને હર્ષ પ્રાપ્ત થાય?

13 ને યહોવાહે ઈબ્રાહીમને કહ્યું કે, સારાહ એ વાત કેહતાં કેમ હસી, કે શું હું મારા ઘડપણમાં ખચિત દીકરો જણીશ?

14 યહોવાહને શું કઈ અશક્ય છે? ઠરાવેલા કાળમાંહું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારહને દીકરો થશે.

15 ત્યારે સારાહે નકાર કરને કહ્યું કે, હું તો હસી નથી, કેમકે તે બીધી. પણ તે બોલ્યો, હા તું ખચિત હસી.

16 અને તે પુરુષો ત્યાંથી ઉઠયા, ને તેઓએ સદોમની ગામ જોયું, ને ઈબ્રાહીમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો.

17 અને યહોવાહે કહ્યું, જે હું કરું છું તે હું ઇબ્રાહીમ થી સંતાડીશ?

18 કેમકે ઇબ્રાહીમથી ખચિત મોટી તથા સમર્થ દેશજાતિ થશે, ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે.

19 કેમકે હું તેને જાણું છું, કે તે પોતાના દીકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે, કે તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાહનો માર્ગ પાળે, એ માટે કે ઈબ્રાહીમ સંબંધી યહોવાહે જે કહ્યું છે, તે તેને આપે.

20 અને યહોવાહે કહ્યું કે, સદોમ તથા ગમોરાહનો બુમાટો મોટો છે., ને તેઓનાં પાપ અઘોર છે,

21 માટે હું હવે ઉતરીશ ને જોઇશ કે જે બુમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓનાં સઘળાં કામ થયાં છે કે નહિ, અને એમ નહિ હોય તો માલુમ પડશે.

22 અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ ભણી ગયા, પણ ઈબ્રાહીમ યહોવાહની આગળ હજુ ઉભો રહ્યો.

23 અને ઈબ્રાહીમ પાસે આવ્યો, ને બોલ્યો, શું તું દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશે?

24 કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હશે, તો શું તું તેનો નાશ કરશે ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગ્યા નહિ બચાવે?

25 એવી રીતે કરવું તારાથી વેગળું થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવી, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર કરવા, એ તારાથી વેગળું થાઓ; આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?

26 અને યહોવાહે કહ્યું,જો પચાસ ન્યાયી સદોમ નગરમાં જડે, તો તેઓને સારું હું આખી જગ્યાને બચાવીશ.

27 અને ઈબ્રાહીમ ઉત્તર દઈને બોલ્યો, જો,હવે હું ધૂળ તથા રાખ ચાત પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું;

28 કદાચ પચાસ ન્યાયીમાં પાંચ ઓછો હોય, તો શું પાંચની ખોટને લીધે તું તે નગરનો નાશ કરશે? ને તે બોલ્યો, જો મને ત્યાં પીસ્તાળીસ જડે, તો હું તેનો નાશ નહિ કરીશ.

29 અને તેણે ફરી તેને કહ્યું, કદાચિત ત્યાં ચાળીસ જડે તો? ત્યારે તેણે કહ્યું, ચાળીસને લીધે હું એમ નહિ કરીશ.

30 અને તેણે કહ્યું કે, પ્રભુને રોષ ના ચઢે, તો હું ફરી બોલું; કદાચિત ત્યાં ત્રીસ જડે તો? તેને કહ્યું, જો ત્યાં ત્રીસ જશે, તેઓ હું એમ નહિ કરીશ.

31 અને તેણે કહ્યું કે, હવે જો, મેં પ્રભુ આગળ બોલવાની હિમ્મત ધરી છે; કદાચિત ત્યાં વીસ જડે તો? તેને કહ્યું, વીસને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.

32 અને તેણે કહ્યું, પ્રભુને રોષ ન ચઢે તો ફરીથી એકજ વાર બોલું; કદાચિત ત્યાં દસ જડે તો? તેણે કહ્યું કે, દસને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.

33 અને યહોવાહ ઈબ્રાહીમની સાથે વાત પૂરી કરીને ચાલ્યો ગયો, ને ઈબ્રાહીમ પોતાને ત્યાં પાછો ગયો.