1 અને ઈબ્રાહીમના વખતમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે શિવાય તે દેશમાં બીજો દુકાળ પડ્યો; ત્યારે ઇસ્હાક પલિસ્તીઓના રાજા અબીમેલેખ પાસે ગરારમાં ગયો.
2 અને યહોવાહે તેને દર્શન દઈને કહ્યું, તું મિસરમાં ન જતો, જે દેશ વિશે હું તેને કહીશ ત્યાં રહેજો
3 આ દેશમાં તું પ્રવાસી થઇ રહે, ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ દઈશ, કેમકે તને તથા તારા સંતાનને હું આ સઘળા દેશ આપીશ, ને તારા બાપ ઈબ્રાહીમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પુરા કરીશ.
4 અને હું તારા સંતાનને આકાશના તારાઓ જેટલાં વધારીશ, ને આ સર્વ દેશો હું તારા સંતાનને આપીશ, ને પૃથ્વીના સર્વ કુળ તારા સંતાનમાં આશીર્વાદ પામશે.
5 કેમકે ઇબ્રાહીમે મરી વાણી માની, ને મારી રીતિ, તથા મરી આજ્ઞા, તથા મારા વિધિ, તથા મારા નિયમ પાળ્યા.
6 અને ઇસ્હાક ગરારમાં રહ્યો.
7 અને ત્યાંના માણસોએ તેની બાયડી વિષે પુછ્યું; ને તેને કહ્યું કે, તે મારી બહેન છે; કેમકે તે મારી બાયડી છે, એમ કહેવાને તે બીધો, રાખે ત્યાંના માણસો રિબકાહને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી.
8 અને એમ થયું કે ત્યાં તેને ઘણા દહાડા થયા, ત્યારે પલિસ્તીઓના રાજા અબીમેલેખ બારીએથી જોયું, ને જુઓ, ઇસ્હાક પોતાની બાયડી રિબકાહને લાડ લડાવતો હતો.
9 અને અબીમેલેખ ઇસ્હાકને બોલાવીને કહ્યું કે, જો, તે ખચિત તારી બાયડી છે, ને તું એમ કેમ બોલ્યો કે તે મારી બહેન છે? ને ઇસ્હાકે તેને કહ્યું, હું તેને લીધે કદાચિત માર્યો જાઉં એવી બીકથી હું એમ બોલ્યો.
10 અને અબીમેલેખે કહ્યું, તેં અમને આ શું કીધું છે? લોકમાંનો કોઈ તારી બાયડી સાથે હેજ સૂઈ જાત ને એમ તું અમારા પર દોષ આણત.
11 અને અબીમેલેખે સર્વ લોકોને તાકીદ કરીને કહ્યું કે, આ માણસને અથવા તેને બાયડીને જે કોઈ અડકશે તે નિશ્ચે માર્યો જશે.
12 અને ઇસ્હાકે તે દેશમાં વાવણી કીધી, ને તેજ વર્ષે સોગણું પામ્યો; ને યહોવાહે તેને આશીર્વાદ દીધો.
13 અને તે મોટો માણસ થયો ને એમ વધતાં વધતાં બહુજ મોટો થયો.
14 અને તેની પાસે ઘેંટા તથા ઢોર તથા ઘણા દસો થયા. અને પલિસ્તીઓએ તેની અદેખાઈ કીધી.
15 અને તેના બાપ ઈબ્રાહીમના દહાડામાં જે સર્વ કુવા તેના બાપના દાસોએ ખોદ્યા હતા તે પલિસ્તીઓએ માટીથી ભરીને પુરી નાખ્યા હતા.
16 અને અબીમેલેખે ઇસ્હાકને કહ્યું, તું અમારી પાસેથી જા, કેમકે તું અમારા કરતાં બહુ સમર્થ થઇ ગયો છે.
17 પછી ઇસ્હાકે ત્યાંથી નીકળીને ગરારના નીચાણમાં તંબુ તાણ્યો, ને તે ત્યાં રહ્યો.
18 અને તેના બાપ ઈબ્રાહીમના વખતમાં પાણીના જે કુવા ખોદ્યા હતા, તે ઇસ્હાકે ગાળી કાઢ્યા, કેમકે ઈબ્રાહીમના મરણ પછી પલિસ્તીઓએ તે પુરી નાખ્યા હતા; ને તેમના જે જે નામ તેના બાપે પાડ્યાં હતાં, તેજ નામ તેણે તેઓનાં પાડ્યાં.
19 અને ઇસ્હાકના દાસોએ નીચાણમાં ખોદ્યું, ને ત્યાં પાણીનો એક ઝરો મળ્યો.
20 અને એ પાણી અમારૂં છે એમ કહેતાં ગરારના ભરવાડો ઇસ્હાકના ભરવાડો સાથે વઢય, અને તે કુવાનું નામ તેને એસેક પાડ્યું; કેમકે તેઓ તેની સાથે વઢયા હતા.
21 અને તેઓએ બીજો કુવો ખોદ્યો, ને તે વિષે પણ તેઓ વઢયા, ને તેને તેનું નામ સિટનાહ પાડ્યું.
22 અને ત્યાંથી જઈને તેણે બીજો કુવો ખોદ્યો, ને તેને સારૂ તેઓ વઢયા નહિ; ને તેણે તેનું નામ રહોબોથ પાડ્યું; ને કહ્યું હવે યહોવાહે અમને પુષ્કળ જગ્યા આપી છે, એ આ દેશમાં અને ફળવાન થઈશું.
23 અને તે ત્યાંથી બેર-શેબા ગયો.
24 અને તેજ રાત્રે યહોવાહે તેને દર્શન આપીને કહ્યું કે, હું તારા બાપ ઇબ્રાહીમનો દેવ છું; બીહી મા, કેમકે તારી સાથે હું છે, ને મારા સેવક ઈબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ દઈશ, ને તારું સંતાન વધારીશ.
25 અને તેણે ત્યાં વેદી બાંધી, ને યહોવાહને નામે પ્રાર્થના કીધી, ને ત્યાં પોતાનો તંબુ તાણ્યો, ને ત્યાં ઇસ્હાકના દાસોએ એક કુવો ખોદ્યો.
26 અને અબીમેલેખ પોતાના મિત્રોમાંના એક અહુઝાથ તથા પોતાના સેનાપતિ ફીકોલ સુદ્ધાં ગરારથી તેની પાસે આવ્યો;
27 ને ઇસ્હાકે તેઓને કહ્યું, તમે મારો દ્વેષ કરો છો, ને તમારી પાસેથી મને કાઢી મુક્યો છે, માટે મારી પાસે તમે કેમ આવ્યા?
28 ને તેઓએ કહ્યું, અમે ખચિત જાણ્યું કે યહોવાહ તારી સાથે છે, ને અમે કહ્યું કે, હવે આપણી વચ્ચે, એટલે તારી તથા અમારી વચ્ચે સમ થાય, ને અમે તારી સાથે કરાર કરીએ,
29 કે જેમ અમે તને છેડ્યો નથી, ને તારું ભલુંજ માત્ર કીધું, ને શાંતિથી તને વિદાય કીધો, તેમ તું અમારૂં ભુંડું ન કરે; હવે તું યહોવાહથી અશીર્વાદિત છે.
30 અને તેણે તેઓને સારૂ મિજબાની કીઘી, ને તેઓએ ખાધું ને પીધું,
31 અને તેઓએ મોટી સવારે ઉઠીને અરસપરસ સમ ખાધા; ને ઇસ્હાકે તેઓને વિદાય કીધા, ને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા.
32 અને તેજ દહાડે એમ થયું કે ઇસ્હાકના દાસોએ જે કુવો ખોદ્યો હતો, તે વિષે તેઓએ આવીને કહ્યું, અમને પાણી જડ્યું છે.
33 અને તેણે તેને શિબાહ નામ આપ્યું, માટે આજ લગી તે નગરનું નામ બેર-શેબા કહેવાય છે.
34 અને એસાવ ચાળીસ વર્ષનો થઈને હિત્તી બએરીની દીકરી યહૂદીથને તથા હિત્તી એલોનની દીકરી બાસમાથને પરણ્યો.
35 અને તેઓ ઇસ્હાક તથા રિબકાહના જીવને સંતાપરૂપ હતી.