1 ને બે વર્ષ પછી એમ થયું, કે ફારુનને સ્વપ્ન આવ્યું, ને જુઓ, તે નદીની પાસે ઉભો હતો.

2 અને જુઓ, સુંદર તથા પુષ્ટ એવી સાત ગાય નદીમાંથી નીકળી, ને સરકટમાં ચરી.

3 અને જુઓ, તેઓની પછવાડે કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાય નદીમાંથી નીકળીને નદીને કાઠે પેલી ગાયોની પાસે ઉભી રહી.

4 અને કદરૂપી તથા સુકાઈ ગએલી ગાયો તે સાત સુંદર તથા પુષ્ટ ગાયને ગળી ગઈ, એટલે ફારુન જાગ્યો.

5 અને તે ઉંધી ગયો, ને બીજી વાર તેને સ્વપ્ન આવ્યું, ને જુઓ, એક સાંઠો પર દાણાએ ભરેલાં તથા સારાં એવાં સાત કણસલાં આવ્યાં.

6 અને જુઓ, તેઓની પછવાડે હલકાં તથા પૂર્વના વાયુથી ચિમળાએલાં એવાં સાત કણસલાં આવ્યા.

7 અને હલકાં કણસલાં પેલાં સાત પાંકા તથા ભારે કણસલાંને ગળી ગયા. અને ફારુન જાગ્યો; ને જુઓ, એ to સ્વપ્ન હતું.

8 અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું; ને તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા; ને તેઓને ફારુને પોતાના સ્વપ્નો કહ્યા; પણ સ્વપ્નનો અર્થ ફારૂનને કહી શકે એવો તેઓમાનો કોઈ નહોતો.

9 અને મુખ્ય પાત્રવાહકે ફારૂનને કહ્યું, આજ હું મારો અપરાધ કબૂલ કરું છું.

10 ફારૂનને પોતાના દાસો પર ક્રોધ ચઢ્યો હતો; ને મને તથા મુખ્ય ભઠીયારાને, તુરંગમાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં કેદ કીધા હતા.

11 અને એકજ રાતે અમને સ્વપ્ન આવ્યું, દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું.

12 અને એક હેબ્રી જુવાન જે પહેરેગીરોના ઉપરીનો દાસ હતો તે ત્યાં અમારી સાથે હતો. તેને અમે કહ્યું, ને તેણે અમારા સ્વપ્નનો અર્થ બતાવ્યો, દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો.

13 અને એમ થયું, કે તેણે અમને અર્થ કહ્યા, તેમજ થયું, તેણે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો, ને એને ફાંસી દીધી.

14 અને ફારૂને યુસફને તેડવા માણસ મોકલ્યો, ને તેઓએ તેને તુરંગમાંથી ઉતાવળે કાઢ્યો; ને તેણે હજામત કરીને પોતાનાં લૂગડાં બદલ્યાં, ને ફારૂનની આગળ આવ્યો.

15 અને ફારૂને યુસફ્ને કહ્યું, મને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ કહેનાર કોઈ નથી; ને મેં તારા વિષે સાંભળ્યું છે, કે તું સ્વપ્ન સાંભળીને તેઓ અર્થ બતાવી શકે છે.

16 અને યુસફે ફારુનને ઉત્તર આપ્યો, હું તો નહિ, પણ દેવ ફર્રુનને ક્ષેમકર ઉત્તર આપશે.

17 અને ફારુને યુસફને કહ્યું, જુઓ, હું મારા સ્વપ્નમાં નદીને કાંઠે ઉભો હતો.

18 અને જુઓ, પુષ્ટ તથા સુંદર એવી સાત ગાય નદીમાંથી નીકળી, ને સરકટમાં ચરી.

19 અને જુઓ, તેઓની પછવાડે નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગએલી બીજી સાત ગાય નીકળી, તે એવી કે તેમના જેવી કદરૂપી ગયો મેં આખા મિસર દેશમાં કદી દીઠી નહોતી.

20 અને તે દુબળી તથા કદરૂપી ગાયો પેલી સાત પુષ્ટ ગાયોને ખાઈ ગઈ.

21 અને તેઓ તેઓને ખાઈ ગઈ, to પણ તેઓ તેમને ખાઈ ગઈ હોય એવું જણાયું નહિ; પણ પહેલાની પેઠે તેઓ કદરૂપી રહી; ને હું જાગ્યો.

22 અને મારા સ્વપ્નમાં મેં જોયું, ને જુઓ, એન સાંઠા પર ભરાએલાં તથા સારાં એવાં સાત કણસલાં નીકળ્યાં,

23 ને જુઓ, તેઓની પાછળ સુકાએલાં, તથા હલકાં તથા પૂર્વના પવનથી ચીમળાએલાં એવાં સાત કણસલાં નીકળ્યાં.

24 અને તે હલકાં કણસલાં પેલા સાત સારાં કણસલાંને ગળી ગયાં; ને મેં શાસ્ત્રીઓને એ કહ્યું, પણ કોઈ તેનો અર્થ મને કહી ન શક્યો.

25 અને યુસફે ફારુનને કહ્યું, ફારુનનું સ્વપ્ન એકજ છે; દેવ જે કરવાનો છે તે તેણેફારૂનને જણાવ્યું છે.

26 પેલી સાત સારી ગાય સાત વર્ષ છે; ને સાત સારાં કણસલાં સાત વર્ષ છે; સ્વપ્ન એક છે.

27 ને તેઓની પાછળ જે સુકાઈ ગએલી તથા કદરૂપી ગાય નીકળી તે સાત વર્ષ છે; ને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચિમળાએલાં જે સાત કણસલાં તે દુકાળનાં સાત વર્ષ થશે.

28 જે વાત મેં ફારૂનને કહી તે એ છે; દેવ જે કરવાનો છે તે તેણે ફારૂનને દેખાડ્યું છે.

29 જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવે છે;

30 ને ત્યારે પછી દીકાલના સાત વર્ષ આવશે; ને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભુલી જવાશે; ને દુકાળ દેશનો નાશ કરશે.

31 અને તે આવનાર દુકાળનેલીધે દેશમાં પુષ્કળતા નહિ જણશે; કેમકે તે બહુ ભારે થશે.

32 અને ફારૂનને બે વાર સ્વપ્ન્ન આવ્યાં તે એ માટે, કે એ વાત દેવે નક્કી ઠરાવી છે; ને દેવ તે થોડીજ વારમાં પૂરી કરશે.

33 તે માટે હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો.

34 ફારુને એમ કરવું, દેશ પર ઉપરીઓ ઠરાવવા, ને પુષ્કળતાનાં સાત વર્ષ પર્યત દેશનો પાંચમો ભાગ લેવો.

35 અને જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે, અને ફારુનના હાથ નીચે સઘળું અનાજ નગરે નગર ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.

36 અને દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તેમાં તે ખોરાક દેશને માટે સંગ્રહને સારૂ થશે, કે દુકાળથી દેશનો ક્ષય ન થાય.

37 અને એ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી.

38 અને ફારુને પોતાના દાસોને કહ્યું, જેમાં દેવનો આત્મા હોય, એવો આના સરખા શું કોઈ માણસ આપણે મળે?

39 અને ફારુને યુસફ્ને કહ્યું, દેવે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા સરખો બુદ્ધિવાન તથા જ્ઞાની બીજો કોઈ નથી.

40 તું મારા ઘરનો ઉપરી થા, ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે, એકલા રાજ્યાસન પર હું તારા કરતાં મોટો હોઈશ.

41 અને ફારુને યુસફ્ને કહ્યું, જો, મેં તને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો છે.

42 અને ફારુને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસફના હાથમાં ઘાલી; ને તેને મલમલનાં વસ્ત્ર પહેરાવ્યાં, ને તેના ગાળામાં સોનાની સાંકળી ઘાલી;

43 ને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યાં; ને ઘુટણ ટેકવો એવી તેની આગળ તેઓએ બૂમ પાડી; ને તેણે તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો.

44 અને ફારુને યુસફને કહ્યું, હું ફારુન છું, ને મિસરના આખા દેશમાં તારા વિના કોઈ માણસ હાથ કે પગ નહિ ઉઠાવશે.

45 અને ફારુને યુસફનું નામ સાફનાથ-પાનેઆહ પાડ્યું; ને ઓનના યાજક પોટીફેરાની દિકરી આસનાથ સાથે તેના લગ્ન કરાવ્યા; ને યુસફ મિસર દેશમાં ફરવા નિકળ્યો

46 અને યુસફ મિસરના રાજા ફારુનની આગળ ઉભો રહ્યો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. અને યુસફ ફારુનની હજુરમાંથી નિકળીને આખા મિસર દેશમાં ફર્યા.

47 અને પુષ્કળતાનાં સાત વર્ષમાં પૃથ્વીમાંથી ખોબેખોબા પાક્યું.

48 અને મિસર દેશમાં જે સાત વર્ષ થયાં તેઓનું સઘળું અનાજ તેણે એકઠું કીધું, ને તે અનાજ તેણે તેજ નગરમાં ભરી રાખ્યું.

49 અને યુસફે સમુદ્રની રેતી જેટલું અતિઘણું અન્ન સંઘર્યું, તે એટલા સુધી, કે તેણે હિસાબ રાખવાનું મૂકી દીધું; કેમકે તે બેસુમારી હતું.

50 અને દુકાળનાં વર્ષો આવ્યા અગાઉ યુસફના બે દીકરા જન્મ્યા, કે જે તેને ઓનના યાજક પોટીફેરાના દીકરી આસનાથને પેટે થયા.

51 અને યુસફે જ્યેષ્ઠ દીકરાનું નામ મનાશ્શેહ પાડ્યું, કેમકે [ તેણે કહ્યું] દેવે મારાં સર્વ કષ્ટ તથા મારા બાપના ઘરનું સર્વ મને વિસરાવી મુક્યું છે.

52 અને બીજાનું નામ તેણે એફ્રાઈમ પાડ્યું; કેમકે [તેણે કહ્યું] મારા દુઃખના દેશમાં દેવે મને સફળ કીધો છે.

53 અને મિસર દેશમાં પુષ્કળતાનાં જે સાત વર્ષ આવ્યા હતા તે વિતી ગયાં.

54 અને યુસફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ આવવા લાગ્યાં; ને દુકાળ સર્વ દેશોમાં પડ્યો; પણ આખા મિસર દેશમાં અન્ન હતું.

55 અને આખો મિસર દેશ ભુખે મરવા લાગ્યો, ત્યારે લોકો ફારુનની આગળ ધાન્યને સારૂ બૂમ પાડી; ને ફારુન સર્વ મિસરીઓને કહ્યું, યુસફની પાસે જાઓ; ને તે તમને કહે તે કરો.

56 અને આખા દેશ પર દુકાળ પડ્યો ત્યારે યુસફે સર્વ કોઠારો ઉઘડ્યા, ને મીસરીઓને વેચાતું આપ્યું; ને મિસર દેશમાં તે કાળ બહુ વિકટ થયો.

57 અને સર્વ દેશોના લોકો મિસર દેશમાં યુસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યા; કેમકે આખી પૃથ્વી અર દુકાળ ભારે હતો.