1 આદમની વંશાવળી આ પ્રમાણે છે; દેવે માણસને ઉત્પન્ન કીધું, તે દિવસે દેવની પ્રતિમા પ્રમાણે તેણે તેને બનાવ્યું;
2 પુરુષ તથા સ્ત્રી તેણે તેઓને ઉત્પન્ન કાર્યા, ને તેઓને આશીર્વાદ દીધો, ન તેઓની ઉત્પત્તિના દીવસે તેઓનું નામ આદમ પાડ્યું.
3 ને આદમ એક સૌ ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને પોતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો; ને તેણે તેનું નામ શેથ પાડ્યું.
4 ને શેથનો જન્મ થયાં પછી આદમના દિવસ આઠસેં વર્ષ હતાં, ને તેને દીકરા દીકરીઓ થયાં.
5 ને આદમના સર્વ દિવસ નવસેં ત્રીસ વર્ષ હતા; ને તે મરી ગયો.
6 અને શેથ એક સૌ પાંચ વર્ષના થયો ત્યારે તેને આનોશ થયો;
7 ને અનોશનો થયાં પછી, શેથ આઠસે સાત વર્ષ જીવ્યા, ને તેને દીકરા દીકરીઓ થયા.
8 ને શેથના સર્વ દહાડા નવસેં બાર વર્ષ હતાં; ને તે મારી ગયો.
9 અને અનોશ નેવું વર્ષનો થયો, ને તેને કેનાન થયો; ને કેનાનનો જન્મ થયાં પછી, અનોશ આઠસેં પંદર વર્ષ જીવ્યો
10 ને તેને દીકરા દીકરીઓ થયાં.
11 ને અનોશના સર્વ દહાડા નવસેં પાંચ વર્ષ હતા; ને તે મરી ગયો.
12 અને કેનાન સિત્તેર વર્ષનો થયો ત્યારે તેને માહલાલએલ થયો;
13 ને માહલાલએલનો જન્મ થયાં પછી, કેનાન આઠસે ચાળીસ વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
14 ને કેનાનના સર્વ દહાડા નવસેં દશ વર્ષ હતા; ને તે મારી ગયો.
15 અને મહલાલએલ પાંસઠ વર્ષનો થયો, ત્યારે તેને યારેદ થયો;
16 ને યારેદનો જન્મ થયા પછી માહલાલએલ આઠસે ત્રીસ વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
17 માહલાલએલના સર્વ દહાડા આઠસે પંચાણું વર્ષ હતા; ને તે મારી ગયો.
18 અને યારેદ એક સૌ બાસઠ વર્ષનો થયો, ત્યારે તેને હનોખ થયો;
19 ને હનોખનો જન્મ થયાં પછી, યારેદ આઠસે વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
20 ને યારેદના સર્વ દહાડા નવસે બાસઠ વર્ષના હતા; ને તે મારી ગયો.
21 અને હનોખ પાંસઠ વર્ષનો થયો ત્યારે તેને મથુશેલાહ થયો;
22 ને મથુશેલાહનો જન્મ થયાં પછી, હનોખ ત્રણસેં વર્ષ દેવની સંઘાતે ચાલ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
23 ને હનોખના સર્વ દહાડા ત્રણસેં પાંસઠ વર્ષ હતા.
24 ને હનોખ દેવની સંઘાતે ચાલ્યો, ને તે અણદીઠ થયો, કેમકે દેવે તેને લઇ લીધો.
25 અને મથુશેલાહ એક સૌ સત્યશી વર્ષનો થયો, ત્યારે તેને લામેખ થયો;
26 ને લામેખનો જન્મ થયાં પછી, મથુશેલાહ સાતસેં બ્યાસી વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
27 ને મથુશેલાહના સર્વ દિવસ નવસે અગણોતેર વર્ષ હતાં. ને તે મારી ગયા.
28 અને લામેખ એન સૌ બ્યાસીવર્ષનો થયો, ત્યારે તેને દીકરો થયો.
29 ને તેણે તેનું નામનૂહ [એટલે વિસામો] પાડ્યું, ને કહ્યું કે, જે ભૂમિને યહોવાહે શ્રાપ દીધો, તેમાં અમારા કામ તથા હાથોના ઉદ્યોગ સબંધી એજ અમને દિલાસો આપશે.
30 ને નુહનો જન્મથયાં પછી, લામેખ પાંચસે પંચાણું વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
31 ને લામેખના સર્વ દિવસ સાતસેં સિત્તોતેર વર્ષ હતા; ને તે મારી ગયો.
32 અને નૂહ પાંચસેં વર્ષનો થયો; ને નુહને શેમ તથા હામ તથા યાફેથ થયા.