1 અને એમ થયું કે તે એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો, તે કરી ચુક્યા પછી, તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું કે, પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરવા શિખવ્યું તેં તું પણ અમને શિખવ.

2 અને તેણે તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ [[આકાશમાંના અમારા]] બાપ, તારું નામ પવિત્ર મનાઓ; તારું રાજ્ય આવો; [[જેમ આકાશમાં તેં પૃથ્વી પર તારી ઈચ્છા પુરી થાઓ]]

3 દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ;

4 ને અમારાં પાપ અમને માફ કર; કેમકે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ન લાવ, [[ પણ ભુંડાથી અમારો છુટકો કર]]

5 અને તેણે તેઓને કહ્યું કે, તમારામાંના કોઈને મિત્ર હોય, ને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ,

6 કેમકે મારો એક મિત્ર મુસફરીએથી માટે ત્યાં આવ્યો છે, ને તેની આગળ પીરસવાનું મારે પાસે કંઈ નથી,

7 તો શું, તે માંહેથી ઉત્તર આપતા એમ કહેશે કે, મને તસ્દી ન દે, હમણાં બારણું બંધ છે, ને મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઉઠીને તને આપી શકતો નથી?

8 હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઉઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઉઠશે, ને જોઈએ તેટલી [રોટલી] તેને આપશે.

9 અને હું તમને કહું છું કે, માગો, ને તમને અપાશે; શોધો, ને તમને જડશે; ડોકો ને તમારે સારૂ ઉઘાડાશે.

10 કેમકે જે કોઈ માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ડોકે છે તેને સારૂ ઉધાડાશે.

11 વળી તમારામાંના કોઈ બાપની પાસેથી જો પોતાનો છોકરો રોટલી માગે તો શું તે તેને પત્થર આપશે? અથવા જો માછલી [માગે] તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે?

12 અથવા તે ઈંડું માગે તો શું તે તેને વીછું આપશે?

13 માટે જો તમે ભુંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?

14 અને તે એક મુંગા ભૂતને કાઢતો હતો. અને એમ થયું કે ભૂત નીકળ્યા પછી તે મુંગો માણસ બોલ્યો, ને લોકો અચરત થયા.

15 પણ તેઓમાંના કેટલાએકે કહ્યું કે, ભૂતોના સરદાર બાલઝબુલ[ની મદદ]થી તે ભૂતો કાઢે છે.

16 અને બીજાઓએ પરીક્ષણ કરતાં તેની પાસે આકાશમાંથી નિશાની માગી.

17 પણ તેણે તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, હરેક રાજ્ય જેમાં ફૂટ પડે છે તે ઉજડ થાય છે; ને ઘરમાં ફૂટ પડે, તો તે પડી જાય છે;

18 ને જો શેતાન પણ પોતાની સામો થએલો હોય તો તેનું રાજ્ય કેમ નિભે? કેમકે તમે કહો છો કે, બાલઝબુલ[ની મદદ]થી હું ભૂતો કાઢું છું.

19 અને જો હું બાલઝબુલ[ની મદદ]થી ભૂતો કાઢું છું તો તમારા દીકરાઓ કોણ [ની મદદ]થી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.

20 પણ જો હું દેવની આંગળીથી ભૂતો કાઢું છું, તો દેવનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.

21 બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;

22 પણ જયારે તેના કરતા બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેના પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઇ લે છે, ને તેની લૂટ વહેંચે છે.

23 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સમેટતો નથી તે વેરી નાખે છે.

24 અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યામાં વિસામો શોધતો ફરે છે; પણ તે જડતો નથી, ત્યારે તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.

25 અને જયારે તે આવે છે ત્યારે તે તેને વાળેલું તથા શોભાયમાન કરેલું માલમ પડે છે.

26 ત્યારે તે જઈને પોતા કરતા ભુંડા બીજા સાત આત્માઓને તેડી લાવે છે; અને તેઓ માંહે આવીને ત્યાં રહે છે; ને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ભુંડી થાય છે.

27 અને એમ થયું કે તે આ વાતો કહેતો હતો, ત્યારે લોકમધ્યે થી એક બાયડીએ મોટે ઘાટે તેને કહ્યું કે, જે ઉદરમાં તું રહ્યો, ને જે થાનને તું ધાવ્યો તેઓને ધન્ય છે.

28 પણ તને કહ્યું કે, તે કરતાં જેઓ દેવની વાત સાંભળે છે ને પાળે છે તેઓને ધન્ય છે.

29 અને લોકો સંખ્યાબંધ તેની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યો કે, આ પેઢી તો ભુંડી પેઢી છે; તે નિશાની માગે છે, પણ યુનાની નિશાની વિના બીજી નિશાની તેને અપાશે નહિ.

30 કેમકે જેમ યુના નીનવીઓને નિશાનીરૂપથયો, તેં માણસનો દીકરો પણ આ પેઢીને થશે.

31 દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઉઠશે, ને તેઓને દોષિત ઠરાવશે; કેમકે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.

32 નીનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠશે, ને તેને દોષિત ઠરાવશે; કેમકે યુનાનો ઉપદેશ સાંભળી તેઓએ પસ્તાવો કીધો; ને જુઓ, યુના કરતાં અહીં એક મોટો છે.

33 કોઈ માણસ દીવા સળગાવીને તેને ભોંયરામાં કે માપ તળે મુકતો નથી, પણ દીવા પર [મુકે છે] એ માટે કે માંહે આવનારાઓ તેનું અજવાળું જુએ.

34 તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ નિર્મળ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે; પણ તે ભુંડી હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું હોય છે;

35 તે સારૂ તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે.

36 એ માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, ને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ [તારું શરીર] પુરૂં પ્રકાશથી ભરેલું થશે.

37 અને તે બોલતો હતો ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેને નોતર્યો, ને તે માંહે જઈને જમવ બેઠો.

38 અને જમવા પહેલાં તે નાહ્યો નહિ, તે જોઇને ફરોશી અચરત થયો.

39 અને પ્રભુએ તેને કહ્યું કે, તમે ફરોશીઓ તો થાળી વાટકો બહારથી શુદ્ધ કરો છો; પણ તમારૂં અંતર જુલમે તથા ભુંડાઈએ ભરેલું છે.

40 અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે માંહેનું પણ બનાવ્યું નથી શું?

41 પરંતુ માંહેની વસ્તુઓ દાનધર્મમાં આપો, ને જુઓ, બધું તમને શુદ્ધ છે.

42 પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમકે તમે ફુદનાનો તથા સિતાબને! તથા સઘળી વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાયકરણ તથા દેવની પ્રીતિ પડતાં મુકો છો; તમારે આ કરવાં ને એ ન મુકવા જોઈતાં હતાં.

43 તમ ફરોશીઓને અફસોસ છે! કેમકે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોટાંઓમાં સલામો ચાહો છે.

44 તમને અફસોસ છે! કેમકે જે કબરો દેખાતી નથી, ને જેના ઉપર માણસો જાણ્યા વિના ચાલે છે, તેઓના જેવા તમે છો.

45 ત્યારે પંડિતોમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, ઉપદેશક, એમ કહેવાથી તું અમને પણ મેણાં મારે છે.

46 અને તેણે કહ્યું કે, ઓ પંડિતો, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઉચકતાં મહા મુસીબત પડે છે, ને તમે પોતે જે બોજને તમારી એક આંગળી પણ લગાડતા નથી.

47 તમને અફસોસ છે! કેમકે તમે ભવિષ્યવાદીઓની કબરો બાંધો છો, ને તમારા બાપદાદાઓએ તેઓને મારી નાખ્યાં.

48 તો તમે સાક્ષીઓ છો, ને તમારા બાપદાદાઓના કામોને સમ્મતિ આપો છો; કેમકે તેઓએ તેમને મારી નાખ્યા હતા, ને તમે [તેમની કબરો] બાંધો છો.

49 એ માટે દેવના જ્ઞાને પણ કહ્યું કે, હું ભવિષ્યવાદીઓ તથા પ્રેરીતો તેઓની પાસે મોકલીશ, ને તેઓમાંના કેટલાએકને તેઓ મારી નાખશે ને સતાવશે;

50 એ માટે કે જગતના મંડાણથી સઘળા ભવિષ્યવાદીઓના વહેવડાવેલા લોહીનો બદલો આ પેઢીનાં લોક પાસેથી લેવામાં આવે;

51 હા, હું તમને કહું છું કે હાબેલના લોહીથી તે ઝખાર્યાહ જે હોમવેદી તથા પવિત્રસ્થાનથી વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.

52 તમે પંડિતોને અફસોસ છે! કેમકે તમે જ્ઞાનની કુંચી લઇ લીધી છે; તમે પોતે માંહે પેઠા નહિ, ને જેઓ માંહે પેસતા હતા તેઓને તમે અટકાવ્યા.

53 અને તે ત્યાંથી નીકળ્યો, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરીશીઓ ઝનુનથી તેની સામે થઈને તેને ઘણી વાતો વિષે બોલવાને છંછેડવા લાગ્યા.

54 [અને] તેના મ્હોમાંથી કંઈ વાત પકડી લેવાં સારૂ તેઓ ટાંપી રહ્યા.