1 અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘેર વિશ્રામવારે તે રોટલી ખાવા ગયો હતો, ત્યાતે તેઓ તેના પર તાકી રહ્યા હતા.

2 અને જુઓ, એક માણસ તેની આગળ હતો જેણે જલંદરનો રોગ થયો હતો.

3 અને ઇસુએ પંડિતોને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે કે નહિ?

4 પણ તેઓ છાના રહ્યા. અને તેણે તેને ઝાલીને સાજો કીધો, ને તેને જવા દીધો.

5 અને તેણે તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કુવામાં પડ્યો હોય, તો તરત વિશ્રામવારે તેં નહિ કાઢે શું?

6 ને એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેને આપી શક્યા નહિ.

7 અને નોતરેલાઓ કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઇને તેણે તેઓને દૃષ્ટાંત કહ્યું,

8 કોઈ તને લગ્નમાં નોતરે ત્યારે મુખ્ય આસન પર ન બેસ; રાખે કદાપિ તારા કરતાં કોઈ માનવતો માણસ તેણે નોતરેલો હોય,

9 ને જેણે તને તથા તેને નોતર્યા તે આવીને તને કહે કે, એને જગ્યા આપ; ત્યારે તું લજવાઈને સહુથી નીચી જગ્યાએ જઈ બેસવા માંડશે.

10 પણ કોઈ તને નોતરે ત્યારે સહુથી નીચી જગ્યાએ જઈ બેસ, કે જેણે તને નોતર્યો તે આવે, ત્યારે તે તને કહે કે, મિત્ર ઉપર આવ; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે.

11 કેમકે જે કોઈ પોતાને ઉંચો કરે છે તે નીચો કરાશે, ને જે પોતાને નીચો કરે છે તે ઉંચો કરાશે.

12 અને જેણે તેને નોતર્યો હતો તેને પણ તેણે કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ખાણું આપે, ત્યારે તારા મિત્રોને, કે તારા ભાઈઓને, કે તારાં સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; રખે કદાપિ તેઓ પણ તને પાછા નોતરે, ને તને બદલો મળે.

13 પણ જયારે તું મિજબાની આપે ત્યારે દરિદ્રીઓને, ટુંડાઓને, લંગડાઓને તથા આંધળાઓને બોલાવ;

14 ને તને ધન્ય થશે; કેમકે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; ઓઅન ન્યાયીઓના પુનરૂત્થાનમાં તને બદલો અપાશે.

15 અને તેની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેને કહ્યું કે, દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે.

16 પણ તેણે તેને કહ્યું કે, કોઈ એક માણસે મોટું રાતનું ખાણું કીધું ને ઘણાને નોતર્યા.

17 અને વાળું વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને એમ કહેવા મોકલ્યો, કે આવો; કેમકે હમણાં બધું તૈયાર [થયું] છે.

18 અને સર્વ એકે માટે બાનું કાઢવા લાગ્યા.પહેલાએ તેને કહ્યું કે, મેં ખેતર વેચાતું લીધું છે, મારે જઈને તે જોવાની અગત્ય છે; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.

19 અને બીજાએ કહ્યું કે, મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, ને તેઓને પારખવા જાઉં છું; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.

20 અને બીજાએ કહ્યું કે, હું બાયડી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહિ.

21 પછી તે દાસે આવીને પોતાના ઘણીને એ વાતો કહી; ત્યારે ઘરઘાણીએ ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું કે, શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલદી જઈને દરિદ્રીઓને તથા ટુંડાઓને તથા આંધળાઓને તથા લંગડાઓને અહીં તેડી લાવ.

22 ને તે દાસ કહ્યું કે, સાહેબ,તારા હુકમ પ્રમાણ કરવામાં આવ્યું છે, ને હજી પણ જગ્યા છે.

23 અને ઘણીએ દાસને કહ્યું કે, સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ, કે મારું ઘર ભરાઈ જાય.

24 કેમકે હું તમને કહું છું કે, પેલા માણસનો જે નોતરાએલા હતા તેઓમાંનો કોઈ મારું વાળું ચાખશે નહિ.

25 હવે ઘણા લોક તેની સાથે જતા હતા, ને તેને પાછા ફરીને તેઓને કહ્યું કે,

26 જો કોઈ મારી પાસે આવે, ને પોતાનો બાપનો તથા માનો તથા વહુનો તથા છોકરાંનો તથા ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઇ શકતો નથી.

27 જે કોઈ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઇ શકતો નથી.

28 કેમકે તમારામાં એવો કોણ છે કે જે બુરૂજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખરચ નહિ ગણે, કે તે પુરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?

29 રખે કદાપિ પાયો નાખ્યા પછી તે પુરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે,

30 અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પુરૂં કરી શક્યો નહિ.

31 અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર લઈને મારી સામે આવે છે, તેની હું દસ હજારથી સામો થઇ શકીશ કે નહિ?

32 નહિ તો બીજો હજી ઘણો વેળગો છે, એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની સરતો વિષે પુછશે.

33 તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઇ શકતો નથી.

34 મીઠું તો સારૂ છે, પરંતુ મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે?

35 તે ભોંયને વાસ્તે અથવા ખાતરને વાસ્તે યોગ્ય નથી; પણ તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.