1 અને તે અરસામાં એક દિવસે એમ થયું કે મંદિરમાં લોકોને તે બોડ કરતો ને સુવાર્તા પ્રગટ કરતો હતો, ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ, વડીલો સુદ્ધાં, પાસે આવીને ઉભા રહ્યા.

2 અને તેની સાથે વાત કરતા કહ્યું કે, અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરે છે? અથવા આ અધિકાર તને કોણ આપ્યો છે?

3 અને તેણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, હું પણ તમને એક વાત પુછું છું, તે મને કહો:

4 યોહાનનો બપ્તિસમા આકાશથી હતું કે માણસોથી?

5 ને તેઓએ માહોમાંહે વિચાર કરીને કહ્યું કે, જો કહીએ કે આકાશથી તો તે કહેશે, તો તમે તેનું કેમ માન્યું નહિ?

6 પણ જો કહીએ કે માણસોથી, તો બધા લોક આપણને પત્થર મારશે, કેમકે તેઓને ખાતરી છે કે યોહાન ભવિષ્યવાદી હતો.

7 અને તેઓએ ઉત્તર આપ્યો કે, તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.

8 અને ઇસુએ તેઓને કહ્યું કે, હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.

9 અને તે લોકોને એ દ્રષ્ટાંત કહેવા લાગ્યો કે, એક માણસે દ્રાક્ષવાડી રોપી, ને તે ખેડુતોને ઇજારો આપી, ને લાંબી મુદત સુધી પરદેશ જઇ રહ્યો.

10 અને મોસમે તેણે ખેડુતોની પાસે એક ચાકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષવાડીનાં ફળનો [ભાગ] તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.

11 વળી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; ને તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો.

12 અને તેણે વળી ત્રીજાને મોકલ્યો; ને તેઓએ તેને પણ ઘાએલ કરીને બહાર કાઢ્યો.

13 અને દ્રાક્ષવાડીના ઘણીએ કહ્યું કે, હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઇને કદાપિ તેઓ તની અદબ રાખશે.

14 પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માહોમાંહે મનસુબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણને મળે.

15 અને તેઓએ તેને વાડીમાંથી કાઢીને મારી નાખ્યા. માટે દ્રાક્ષવાડીનો ઘણી તેઓને શું કરશે?

16 તે આવીને તે ખેડૂતોનો નાશ કરશે, ને દ્રાક્ષવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, એવું ન થાઓ.

17 પણ તેણે તેઓની તરફ જોઇને કહ્યું, તો આ જે લખેલું છે તે શું છે, એટલે, જે પત્થરનો બાંધનારાઓએ નકાર કીધો તે ખૂણાનું મથાળું થયો.

18 તે પત્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડા થઇ જશે, પણ જેના પર તે પડશે તેનો t ભૂકો કરી નાખશે.

19 અને શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તેજ ઘડીએ તેના પર હાથ નાખવાની કોશિષ કીધી; પણ તેઓ લોકથી બીધા, કેમકે તેઓએ જાણ્યું કે, તેણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે.

20 અને તેના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસુસોને મોકલ્યા, એ સારૂ કે તેઓ તેને વાતમાં પકડીને તેને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે.

21 અને તેઓએ તેને પુછ્યું કે, ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તારું કહેવું અને શીખવવું સત્ય છે, ને તું કોઈનું મ્હો રાખતો નથી, પણ સચાઈથી દેવનો માર્ગ શિખવે છે;

22 તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?

23 પણ તેણે તેઓનું કપટ જાણીને તેઓને કહ્યું કે,

24 મને એક દીનાર દેખાડો; એનાં પર કોના સુરત તથા લેખ છે? અને તેઓએ કહ્યું કે, કાઈસારનાં.

25 ત્યારે તેણે તેઓને કહ્યું કે, તો જે કાઈસારનાં તે કાઈસારને, ને જે દેવનાં તે દેવને ભરી આપો.

26 અને લોકની આગળ તેઓ આ વાતમાં તેને પકડી શક્યા નહિ, ને તેના ઉત્તરથી અચરત થઈને તેઓ છાના રહ્યા.

27 અને સદુકીઓ જે કહે છે કે પુનરૂત્થાન નથી, તેઓમાંના કેટલાએકે તેની પાસે આવીને તેને પુછ્યું કે,

28 ઉપદેશક, મુસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, વહુ [જીવતી] છતાં, સંતાન વિના મારી જાય, તો તેનો ભાઈ તેની વહુને લે, ને પોતાના ભાઈને સારૂ સંતાન ઉપજાવે.

29 વારૂ સાત ભાઈ હતા; ને પહેલો વહુ પરણીને સંતાન વિના મારી ગયો;

30 પછી બીજાએ [તેને લીધી];

31 અને ત્રીજાએ તેને લીધી; ને તેજ પ્રમાણે સાતે સંતાન મુક્યા વગર મરી ગયા.

32 પછીથી બાયડી પણ મારી ગઈ.

33 તો પુનરૂત્થાનમાં તે તેઓમાંના કોની બાયડી થશે? કેમકે સાતેની તે વહુ થઇ હતી.

34 અને ઇસુએ તેઓને કહ્યું કે, આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે;

35 પણ જેઓ તે જગતને તથા મુએલામાંથી પુનરૂત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવાતા નથી;

36 કેમકે તેઓ ફરીથી મારી નથી શકતા; કારણ કે તેઓ દૂતોના સરખા છે; ને પુનરૂત્થાનના દીકરો હોવાથી તેઓ દેવના દીકરા છે.

37 વળી ઝાડવાં [નામના પ્રકરણ]માં મુસા પ્રભુને ઇબ્રાહીમનો દેવ તથા ઇસ્હાકનો દેવ તથા યાકુબનો દેવ કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મુએલાં ઉઠાડાય છે.

38 હવે તે મુએલાંને દેવ નથી, પણ જીવતાંઓનો છે; કેમકે સઘળા તેની પ્રત્યે જીવે છે.

39 અને શાસ્ત્રીઓમાંના કેટલાએક ઉત્તર આપતાં કહ્યું કે, ઉપદેશક, તેં ઠીક કહ્યું.

40 અને પછીથી તેને કંઈ પુછવાને તેઓની ચાટી ચાલી નહિ.

41 અને તેણે તેઓને કહ્યું કે, ખ્રિસ્ત દાઉદનો દીકરો છે, એમ લોકો કેમ કહે છે!

42 કેમકે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,

43 હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ.

44 દાઉદ તો તેને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?

45 અને સઘળા લોકના સાંભળતા તેને પોતાના શિષ્યોને કહ્યું કે,

46 શાસ્ત્રીઓથી સાવધાન રહો, કે જેઓ જામા પહેરીને ફરવાનું, તથા ચૌટાઓમાં સલામો તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે;

47 જેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે, ને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ દંડ ભોગવશે.