1 અને એમ થયું કે ઘણા લોક તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા, ત્યારે તે ગેન્નેસારેતના સરોવરને કાંઠે ઉભો રહ્યો હતો.
2 અને તેણે સરોવરને કાંઠે લાગેલી બે હોડી દીઠી, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાળો ધોતા હતા.
3 તે હોડીઓમાંની એક સીમોનની હતી, તે પર તે ચઢયો, ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. અને તેણે બેસીને લોકોને હોડી પરથી બોધ કીધો.
4 અને બોલી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે, ઉંડા પાણીમાં હંકારો, ને [માછલાં] પકડવા સારૂ તમારી જાળો નાખો.
5 અને સીમોને ઉત્તર આપતા કહ્યું કે, સાહેબ, અમે આખી રાત મહેનત કીધી, પણ કશું પકડ્યું નહિ, તોપણ તારો કહ્યાથી હું જાળો નાખીશ.
6 અને એમ કીધા પછી તેઓએ માછલાંનો મોટો જથો ઘેરી લીધો, ને તેઓની જાળ ફાટવા લાગી.
7 અને તેઓનાં ભાગિયા બીજી હોડીમાં હતા તેઓને તેઓ ઇસારો કીધો કે, તેઓ આવીને તેઓને સહાય કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ એવી ભરી કે તેઓ ડૂબવા લાગી.
8 અને તે જોઇને સીમોન પીતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ઓ પ્રભુ, મારી પાસેથી જા, કેમકે હું પાપી માણસ છું.
9 કેમકે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથો પકડ્યો હતો, તેથી અચરતી પામ્યા.
10 અને ઝબદીના દીકરા, યાકુબ તથા યોહાન, જે સીમોનના ભાગ્યા હતા, તેઓને પણ અચંબો લાગ્યો. અને ઈસુએ સીમોનને કહ્યું કે, બી મા, હવેથી તું માણસો પકડનાર થશે.
11 અને તેઓની હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મુકીને તેની પાછળ ચાલ્યા.
12 અને એમ થયું કે તે એક શહેરમાં હતો, ત્યારે જુઓ, એક કોઢે ભરેલો માણસ હતો; ને તે ઈસુને જોઇને તેને પગે પડ્યો; ને તેને વિનંતી કરતા બોલ્યો, પ્રભુ, જો તું ચાહો તો તું મને શુદ્ધ કરી શકે છે.
13 અને તેણે હાથ લાંબો કર્યો, ને તેને અડકીને કહ્યું કે, હું ચાહું છું, તું શુદ્ધ થા. અને તરત તેનો કોઢ જતો રહ્યો.
14 અને તેણે તેને તાકીદ કીધી કે કોઈને કહેવું નહિ, પણ મુસાના ફરમાવ્યા પ્રમાણે જઈને યાજકને પોતાને દેખાડ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ ચઢાવ.
15 પણ તેના સંબંધીને ચરચા ઉલટી વધારે ફેલાઈ, ને અતિઘણા લોક સાંભળવા સારૂ તથા પોતાના મંદવાડથી સજા થવા સારૂ તેની પાસે એકઠા થયા.
16 પણ પોતે એકાંતે રાનમાં જઈને પ્રાર્થના કીધી.
17 અને એમ થયું કે એક દહાડો તે બોધ કરતો હતો, ત્યારે ફરોશીઓ તથા નિયમોપદેશકો ગાલીલના હરેક ગામમાંથી તથા યહુદાહથી તથા યરૂશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, ને [મંદાને] સાજા કરવા સારૂ પ્રભુનું પરાક્રમ તેની પાસે હતું.
18 અને જુઓ, કેટલાએક જણ એક પક્ષઘાતી માણસને ખાટલા પર લાવ્યા, ને તેને માંહે લઇ જઈને તેની આગળ મુકવાનો તેઓએ પ્રયત્ન કીધો;
19 પણ તેને માંહે લઇ જવાનો લાગ ભીડને લીધે ન ફાવ્યાથી તેઓએ ધાબા પર ચઢીને છાપરામાં થઈને તેને ખાટલા સુદ્ધાં ઇસુની આગળ વચ્ચે ઉતાર્યો.
20 ને તેણે તેઓનો વિશ્વાસ જોઇને તેને કહ્યું કે, માણસ, તારાં પાપ તને માફ થયાં છે.
21 અને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ માહોમાંહે વિચાર કરીને કહેવા લાગ્યા કે, આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા દેવ શિવાય બીજો કોણ પાપની માફી આપી શકે છે?
22 પણ ઇસુએ તેઓના વિચાર જાણીને તેઓને ઉત્તર આપતા કહ્યું કે, તમે પોતાના મનમાં શા વિચાર કરો છો?
23 આ બેમાનું વધારે સહેલું કયું છે, તારાં પાપ તને માફ થયાં છે, એમ કહેવું, અથવા ઉઠીને ચાલ, એમ કહેવું?
24 પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, (તેણે પક્ષઘાતીને કહ્યું કે) હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઉચકીને તારે ઘેર ચાલ્યો જા.
25 અને તરત તે તેઓની આગળ ઉઠીને જે પર તે સૂતો હતો તે ઉંચકીને દેવની સ્તુતિ કરતો પોતાને ઘેર ગયો.
26 અને સઘળા વિસ્મિત થયા, ને તેઓએ દેવની સ્તુતિ કીધી; ને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, આજ અપને અજાયબ જેવી વાતો જોઈ છે.
27 ત્યાર પછી તે નીકળ્યો ને લેવી નામે એક દાણી દાણની ચોકી પર બેઠેલો હતો તેને જોઇને તેણે કહ્યું કે, મારી પાછળ ચાલ.
28 અને તે સઘળું મુકીને ઉઠ્યો, ને તેની પાછળ ગયો.
29 અને લેવીએ પોતાને ઘેર તને સારૂ મોટી મિજબાની કીધી, ને દાણીઓ તથા બીજાઓનો મોટો જથો તેઓની સાથે જમવા બેઠો હતો.
30 અને ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેના શિષ્યોની સામે કચકચ કરીને કહ્યું કે, તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?
31 ને ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે;
32 ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારૂ બોલાવવા હું આવ્યો છું.
33 અને તેઓએ તેને કહ્યું કે, યોહાનના શિષ્યો અને તેમજ ફરોશીઓના શિષ્યો પણ વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તારા શિષ્યો ખાય પીએ છે.
34 અને ઈસુએ તેઓને કહ્યું કે, વાર જાનૈયાઓની સાથે છે ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું?
35 પણ એવા દહાડા આવશે; અને વાર તેઓની પાસેથી લઇ લેવાશે, ત્યારે તે દહાડાઓમાં તેઓ ઉપવાસ કરશે.
36 અને તેણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, નવા લૂગડામાંથી કટકો ફાડીને કોઈ માણસ જુના લુગડાને થિગડું દેતું નથી; જો દે તો તે નવું ફાડશે, ને વળી નવામાંથી લીધેલું થિગડું જુનાને મળતું નહિ આવશે.
37 અને નવો દ્રાક્ષરસ જુની મસકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષરસ મસકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે ને મસકોને નાશ થશે.
38 પણ નવો દ્રાક્ષરસ નવો મસકોમાં ભરવો જોઈએ.
39 અને જુનો દ્રાક્ષરસ પીધા પછી કોઈ નવાને ચહાતો નથી, કેમકે તે કહે છે કે. જુનો સારો છે.