1 હવે બે દહાડા પછી પાસ્ખા તથા બેખમીરી રોટલીનું પર્વ હતું; ને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખે, એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતાં હતા.
2 કેમકે તેઓએ કહ્યું કે, પર્વમાં નહિ, રખે કદાપિ લોકોનું હુલ્લડ થાય.
3 અને જયારે તે બેથાનીઆમાં, સીમોન કોઢિયાના ઘરમાં હતો, અને ખાવા બેઠો હતો, ત્યારે એક બાયડી જટામાંસીના અતિ મૂલ્યવાન અત્તરની ભરેલી સંગેમરમરની ડબ્બી લઇને આવી, ને એ ડબ્બી ભાંગીને તેણીએ તેના માથા પર તે રેડ્યું.
4 પણ કેટલાએક પોતાના મનમાં નારાજ થઇને કહેવા લાગ્યા કે, અત્તરનો બગાડ શા માટે કીધો?
5 કેમકે એ અત્તર ત્રણસે દીનાર કરતાં વધારે કિમ્મતે વેચી શકાત, ને દરિદ્રીઓને અપાત. અને તેઓએ તેણીની વિરુદ્ધ કચકચ કીધી.
6 પણ ઇસુએ કહ્યું કે, એને રહેવા ડો; અને કેમ સતાવો છો? એણીએ મારા પ્રત્યે ભલું કામ કર્યું છે.
7 કેમકે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, ને જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી.
8 જે તેનાથી બની શક્યું, તે તેણીએ કર્યું છે; દફનને સારૂ અગાઉથી તેણીએ મારા શરીરને અત્તર ચોળ્યું છે.
9 વળી હું તમને ખચિત કહું છું કે, આખા જગતમાં, જ્યાં કંઈ સુવાર્ત્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે, તે એની યાદગીરીમાં કહેવામાં આવશે.
10 અને બારમાંનો એક, એટલે યહુદા ઇસકારીઓત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારૂ કે તે તેને તેઓના હાથમાં સોંપે.
11 અને તેઓ તે સાંભળીને ખુશહ થયા; ને તેના પૈસા આપવાનું વચન આપ્યું. અને તેને પરસ્વાધીન કરવાનો લાગ શોધતો હતો.
12 અને બેખમીરી રોટલીના પર્વને પહેલે દહાડે, જયારે લોકો પાસ્ખા યજ્ઞ કરતાં હતા, ત્યારે તેના શિષ્યો તેને કહે છે કે, તું પાસ્ખા ખાય માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તારી શી ઈચ્છા છે?
13 અને તે પોતાના શિષ્યોમાંના બેને મોકલે છે, ને તેઓને કહે છે કે, શહેરમાં જાઓ, ને પાણીના ગાગેર લઇ જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જાઓ;
14 ને જ્યાં તે પેસે, ત્યાં ઘરઘણીને કહો, ઉપદેશક કહે છે કે, મારી ઉતરવાની ઓરડી ક્યાં છે, કે જેમાં હું મારા શિષ્યો સાthe પાસ્ખા ખાઉં?
15 ને તે પોતે તમને એક મોટી મેડી સણગારેલી ને તૈયાર કરેલી દેખાડશે; ત્યાં આપણે સારૂ તૈયાર કરો.
16 અને શિષ્યો નીકળીને શહેરમાં આવ્યા, ને જેવું તેણે તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; ને તેઓએ પાસ્ખા તૈયાર કીધું.
17 અને સાંજ પડી ત્યારે બારની સાથે તે આવે છે;
18 અને તેઓ બેસીને ખાતાં એટ, ત્યારે ઇસુએ કહ્યું કે, હું તમને ખચિત કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને પરસ્વાધીન કરશે.
19 તેઓ શોકાતુર થવા લાગ્યા; ને એક પછી એક તેને કહેવા લાગ્યા કે, શું તે હું છું?
20 ને તેણે તેઓને કહ્યું કે, બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં બોળે છે તેજ તે છે.
21 કેમકે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેં તે જાય છે ખરો; પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કાર્ય છે, તે માણસને હાય હાય; જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારૂ હોત.
22 અને તેઓ ખાતાં હતા, ત્યારે તેણે રોટલી લઇને ને આશીર્વાદ માગીને તે ભાંગી, ને તેઓને આપી; ને કહ્યું કે, લો, આ મારું શરીર છે.
23 અને વાટકો લઈને તથા સ્તુતિ કરીને તેણે તેઓને આપ્યો; ને બધાએ તેમાંનું પીધું.
24 અને તેણે તેઓને કહ્યું કે, કરારનું આ મારું રક્ત છે, જે ઘણાને લીધે વહેવડાવ્યું છે.
25 હું તમને ખચિત કહું છું કે, જે દહાડે હું દેવના રાજ્યમાં નવો પીશ, તે દહાડા સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.
26 અને ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ પર ગયા.
27 અને ઇસુ તેઓને કહે છે કે, તમે સહુ ઠોકર ખાશો, કેમકે એવું લખ્યું છે કે, હું પાળકને મારીશ, ને ઘેટાં વેરાઈ જશે.
28 પરતું મારા પાછાં ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.
29 પણ પીતરે તેને કહ્યું કે, અગર જો સઘળાં ઠોકર ખાય તોપણ હું નહિ.
30 અને ઇસુ તેને કહે છે એ, હું તને ખચિત કહું છું કે, આજની રાત્રેજ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.
31 પણ તેણે બહુ જુસ્સાથી કહ્યું કે, મારે તારી સાથે મરવું પડે, તોપણ હું તારો નકાર નહિ કરીશ. અને સહુએ પણ એમજ કહ્યું.
32 અને તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ને તે પોતાના શિષ્યોને કહે છે કે, હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહી બેસો.
33 અને તે પોતાની સાથે પીતરને તથા યાકુબને યોહાનને લઇ જાય છે, ને તે બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યો.
34 અને તે તેઓને કહે છે, મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.
35 અને થોડું આગળ જઈને તે ભોંય પર પડ્યો; ને પ્રાર્થના કરી કે, જો બની શકે તો આ ઘડી મારાથી દૂર થાઓ.
36 અને તેણે કહ્યું કે, આબા, બાપ, તારાથી બધું થઇ શકે છે; આ વાટકો મારાથી દૂર કરજે, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.
37 અને તે આવે છે, ને તેઓને ઉંઘતા જુએ છે, ને પીતરને કહે છે, સીમોન શું તું ઉંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?
38 જાગતા રહો તથા પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન આવો; આત્મા તત્પર છે ખરો, પણ દેહ અબળ છે.
39 અને ફરી તેણે જઈને એજ શબ્દો બોલીને પ્રાર્થના કરી.
40 અને પાછા આવીને તેણે તેઓને ઉંઘતા જોયાં; કેમકે તેઓની આંખો [[ઉંઘથી] ઘણી ભારે હતી; ને તેને શો જવાબ દેવો, એ તેઓ જાણતા ન હતા.
41 અને તે ત્રીજે વાર આવીને તેઓને કહે છે કે, હવે ઉંઘ્યા કરો તથા આરામ લો; બસ છે, તે ઘડી આવી છે; જુઓ, માણસનો દીકરો પાપીઓના હાથમાં સ્વાધીન કરાય છે.
42 ઉઠો, આપણે જઈએ; જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે પાસે છે.
43 અને તરત, તે હજી બોલતો હતો એટલામાં બારમાંનો એક, એટલે યહુદા, ને તેની સાથે મુખ્ય યાજકોની તથા શાસ્ત્રીઓની તથા વડીલોની, પાસેથી ઘણા લોક તરવારો તથા સોટા લઈને પાસે આવે છે.
44 હવે તેને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી કે, જેને હું ચુમીશ તે તેજ છે, તેને પકડજો, ને ચોકસાઈથી લઇ જજો.
45 અને તે આવ્યો કે તરત તેની પાસે જઇને કહે છે કે, રાબી, ને તેને ચુમ્યો.
46 અને તેઓએ તેના પર હાથ નાખ્યા, ને તેની પકડી લીધો.
47 પણ પાસે ઉભા રહેનારાઓમાંના એકે તરવાર તાણીને મુખ્ય યાજકના દાસને મારી, ને તેનો કાન કાપી નાખ્યો.
48 અને ઇસુએ ઉત્તર આપીને તેઓને કહ્યું કે, જેમ લૂટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને મને પકડવાને આવ્યા છો શું?
49 હું દરરોજ તમારી પાસે મંદિરમાં બોધ કરતો હતો, ને તમે મને પકડ્યો નહિ; પણ લેખો પુરા થાય, માટે [એમ થાય છે].
50 અને સઘળા તેને મુકીને નાસી ગયા.
51 અને એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર સણનું લુગડું ઓઢેલું હતું તે તેની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો;
52 પણ તે લુગડું મુકીને તેઓ પાસેથી ઉઘાડે દીલે નાસી ગયો.
53 અને તેઓ ઇસુને પ્રમુખ યાજકની પાસે લઇ ગયા; ને સર્વ મુખ્ય યાજકો તથા વડીલો તથા શાસ્ત્રીઓ તેની સાથે ભેગા થાય છે.
54 અને પીતર ઘણે દૂર રહીને તેની પાછળ ચાલતો ઠેઠ પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો હતો; ને ભાલદારોની સાથે બેસીને [અંગારાની] રોશનીમાં તાપતો હતો.
55 હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઇસુને મારી નંખાવવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.
56 કેમકે ઘણાઓએ તેની વિરુદ્ધ જુઠી સાક્ષી પુરી; પણ તેઓની સાક્ષી મળતી નહોતી.
57 અને કેટલાએકે ઉભા રહીને તેની વિરુદ્ધ જુઠી સાક્ષી પુરતાં કહ્યું કે,
58 અને તેને એમ કહેતાં સાંભળ્યો કે, હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ, ને ત્રણ દહાડામાં વગર હાથે બનાવેલું એવું બીજું બાંધીશ.
59 અને એમાં પણ તેઓની સાક્ષી મળતી નહોતી.
60 અને પ્રમુખ યાજાકે વચમાં ઉભા થઈને ઇસુને પુછ્યું કે, શું તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ શી સાક્ષી પુરે છે?
61 પણ તે છાનો રહ્યો, ને કંઇ ઉત્તર ન દીધો.. ફરી પ્રમુખ યાજક તેને પુછતાં કહે છે કે, શું તું સ્તુતિમાનનો સીકરો ખ્રીસ્ત છે?
62 ને ઇસુએ કહ્યું કે, હું છું; ને માણસના દીકરાને પરાક્રમની જમણી તરફ બેઠેલો તથા આકાશનાં વાદળાં સહિત આવતો તમે દેખશો.
63 અને પ્રમુખ યાજક પોતાની લૂગડાં ફાડીને કહે છે કે, હવે આપણને બીજી સાક્ષીની શું અગત્ય છે?
64 તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે? ને સહુએ તેને મરણદંડને યોગ્ય ઠરાવ્યો.
65 અને કેટલાક તે પર થુંકવા તથા તેનું મ્હો ઢાંકવા લાગ્યા, તથા તેને મુક્કીઓ મારીને તેને કહેવા લાગ્યા કે, [તું ભવિષ્યવાદી છે તો] કહી બતાવ; અને ભાલદારોએ તેને તમાચા મારીને તેને કબજામાં લીધો.
66 આને પીતર નીચે ચોકમાં હતું, ત્યારે પ્રમુખ યાજકની એક દાસી આવે છે,
67 ને પીતરને તાપતો જોઇને તેને નિહાળીને કહે છે કે, તું પણ ઇસુ નાઝારીની સાથે હતો.
68 પણ તેણે ઇનકાર કરીને કહ્યું કે, તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ સમજતો પણ નથી. અને તે બહાર પરશાળમાં ગયો, ને મરઘો બોલ્યો.
69 અને તે દાસી તેને જોઇને પાસે ઉભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, એ તેઓમાંનો છે.
70 પણ તેણે ફરી ઇનકાર કીધો. અને થોડી વાર પછી ઉભા રહેનારાઓએ પીતરને ફરી કહ્યું કે, ખરેખર એઓમાંનો તું છે; કેમકે તું ગાલીલનો છે.
71 પણ તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, જે માણસ વિષે તમે કહો છો, તે હું ઓળખતો નથી.
72 અને તરત મરઘો બીજી વાર બોલ્યો. અને ઇસુએ પીતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવી; ને તે પર મન લગાડીને તે રડ્યો.