1 ત્યારે યરૂશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ઈસુની પાસે આવીને કહે છે કે,

2 તારા શિષ્યો વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમકે તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.

3 પણ તેણે ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?

4 કેમકે દેવે કહ્યું કે, તું તારા બાપનું તથા તારી માનું સન્માન કર, ને જે કોઇ બાપની અથવા માંની નિંદા કરે તે જીવથી માર્યો જાય.

5 પણ તમે હકો છો કે, જે કોઇ પોતાના બાપને કે માને કહેશે કે, જે વડે મારાથી તને લાભ થયો હોત તે દેવને અર્પિત છે;

6 તો તે ભલે પોતાના બાપનું કે પોતાની માનું સન્માન ન કરે; એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કીધી છે.

7 ઓ ઢોંગીઓ, યશાયાહે તમારા સંબંધી ઠીક ભવિષ્ય કહ્યું છે કે,

8 આ લોક પોતાના હોઠોથી મને આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાજ રહે છે.

9 અને તેઓ મારી ભક્તિ ફોગટ કરે છે, કેમકે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શિખવે છે.

10 પછી તેણે લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, સાંભળો તથા સમજો.

11 મ્હોમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મ્હોમાંથી જે નીકળે છે તેજ માણસને વટાળે છે.

12 ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે, આ વાત સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી, એ શું તું જાણે છે?

13 પણ તેણે ઉત્તર આપતાં કહ્યું કે, જે રોપા મારા આકાશમાંના બાપે રોપ્યો નથી, તે દરેક ઉખેડી નંખાશે.

14 તેઓને રહેવા ડો, તેઓ આંધળા દોરનારા છે; ને જો આંધળો આંધળાને દોરે તો બન્ને ખાડામાં પડશે.

15 ત્યારે પીતરે ઉત્તર દેતાં તેને કહ્યું કે, આ દૃષ્ટાંતનો અર્થ અમને કહે.

16 અને તેણે કહ્યું કે, શું હજી સુધી તમે પણ અણસમજુ છો?

17 શું તમે હજી નથી સમજતા કે જે કંઈ મ્હોમાં પેસે છે, તે પેટમાં જાય છે, ને સંડાસમાં નીકળી જાય છે.

18 પણ જે મ્હોમાંથી નીકળે છે, તે હૃદયમાંથી આવે છે, ને તેજ માણસને વટાળે છે.

19 કેમકે ભુંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જુઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.

20 માણસને જે વટાળે છે તે એજ છે; પણ અણધોએલે હાથે ખાવું એ માણસને વટાળતું નથી.

21 અને ઇસુ ત્યાંથી નીકળીને સૂર તથા સીદોનની સીમમાં ગયો.

22 અને જુઓ, એક કનાની બાયડીએ તે સીમમાં આવીને બૂમ પાડતાં તેને કહ્યું કે, ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર; મારી દીકરી ભૂતથી બહુ પીડા પામે છે.

23 પણ તેણે તેને કશો જવાબ આપ્યો નહિ; ને તેના શિષ્યોએ આવીને વિનંતી કરતાં તેને કહ્યું કે, તેને વિદાય કર, કેમકે તે આપણી પાછળ બૂમ પડે છે.

24 પણ તેણે ઉત્તર દેતા કહ્યું કે, ઇસ્રાએલના ઘરનાં ખોવાએલાં ઘેટાં શિવાય બીજા કોઈની પાસે હું મોક્લાયો નથી.

25 પછી તેણીએ આવીને તેને પગે લાગીને કહ્યું કે, ઓ પ્રભુ, મને મદદ કર.

26 પણ તેણે ઉત્તર દેતાં કહ્યું કે, છોકરાંની રોટલી લઈને કુતરાને નાખવી વાજબી નથી.

27 પણ તેણીએ કહ્યું કે, ખરું, પ્રભુ, કેમકે કુતરાં તો પોતાના ઘણીઓની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.

28 ત્યારે ઇસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, ઓ બાઇ, તારો વિશ્વાસ મોટો છે, જેવું તું ચાહે છે તેવું તને થાય. અને તેજ ઘડીથી તેની દીકરી સાજી થઇ.

29 ત્યારે ઇસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યો; ને પહાડ પર ચઢીને ત્યાં બેઠો.

30 અને બહુ લોકો પાંગળાંઓને, આંધળાંઓને, મુંગાઓને, ટુંડાંઓને, તથા બીજાં ઘણાઓને પોતાની સાથે લઇને તેની પાસે આવ્યા. અને ઇસુના પગ પાસે તેઓને મુક્યાં ને તેણે તેઓને સાજાં કીધા.

31 અને જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલે છે, ટુંડાંઓ સાજાં થયાં છે, પાંગળાંઓ ચાલે છે, અને આંધળાઓ દેખે છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા, ને તેઓએ ઇસ્રાએલના દેવની સ્તુતિ કીધી.

32 અને ઇસુએ પોતાના શિષ્યોને પાસે તેડીને કહ્યું કે, આ લોકો પર મને દયા આવે છે, કેમકે આજ ત્રણ દહાડા થયા તેઓ મારી સાથે છે, ને તેઓની પાસે કિન્ન ખાવાનું નથી, ને તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું નથી ચહાતો, રખે કદાપિ વાટમાં તેઓ નિર્ગત થઇ જાય.

33 અને શિષ્યો તેને કહે છે કે, આટલા બધા લોકો તૃપ્ત થાય તેટલી રોટલી અમે રાનમાં ક્યાંથી લાવીએ?

34 ત્યારે ઇસુ તેઓને કહે છે કે, તમારી પાસે કેટલી રોટલી છે? અને તેઓએ કહ્યું કે, સાત, ને નાની માછલી થોડીએક છે.

35 ત્યારે તેણે લોકોને ભોંય પર બેસવાની આજ્ઞા કીધી.

36 અને તે સાત રોટલી તથા માછલી લઇ તેણે સ્તુતિ કરીને ભાંગી, ને પોતાના શિષ્યોને આપી, ને શિષ્યોએ પછી લોકોને આપી.

37 અને સઘળાંએ ખાધું, ને તૃપ્ત થયાં; પછી છાંડેલા કકડાઓની સાત ટોપલી ભરીને તેઓએ ઉઠાવી.

38 અને જેઓએ ખાધું તેઓ બાયડી છોકરાં ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.

39 અને લોકોને વિદાય કીધા પછી હોડીમાં બેસીને માગદાનની સીમમાં તે આવ્યો.