1 અને ત્યાર પછી એમ થયું કે, દૌડે પલિસ્તીઓને મારીને વશ કીધા; ને દાઉદે મેથેગ-આમ્માહ પલિસ્તીઓના હાથમાંથી લીધું.

2 અને તેણે મોઆબીઓને હરાવ્યા, ને તેઓને ભૂમિ પર આડા પાડીને દોરીથી માપ્યા; ને તેણે મારી નાખવા સારૂ બે દોરીઓ જેટલા માપ્યા, તથા જીવાડવા સારૂ એક આખી દોરી જેટલા માપ્યા. અને મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડણી આપતા થયા.

3 વળી રહોબનો દીકરો તથા સોબાહનો રાજા હદાદએઝેર ફ્રાત નદી પાસે પોતાનું રાજ્ય પાછું મેળવવા સારૂ પાછો જતો હતો, ત્યારે દાઉદે તેને પણ હરાવ્યો.

4 અને દાઉદે તેની પાસેથી એક હજાર ને સાતસેં સવારો તથા વીસ હજાર પાયદળ લીધાં; ને દાઉદે રથનાં સર્વ ઘોડાઓના પાછલા પગની નસો કાપી નાખી, પણ એકસો રથને સારૂ તેઓમાંથી જીવતા રાખ્યા.

5 અને દમસ્કના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરને સાહ્ય કરવા સારૂ આવ્યા, ત્યારે દાઉદે તે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને માર્યા.

6 પછી દાઉદે દમસ્કના અરામમાં થાણા બેસાડ્યા, ને અરામીઓ દાઉદના તાબેદાર થયા, ને ખંડણી આપવા લાગ્યા; ને દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાહે તેને ફતેહ પમાડી.

7 અને દાઉદ હદાદએઝેરના ચાકરોએ સજેલી સોનાની ઢાલો લઈને યરૂશાલેમમાં લાવ્યો.

8 અને હદાદએઝેરનાં બેટાહ તથા બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ પિત્તળ લીધું.

9 અને હ્માથના રાજા ટોઇએ સાંભળ્યું કે દાઉદે હદાદએઝેરના વિરુદ્ધ યુદ્ધ કરીને તેનો પરાજય કીધો છે,

10 ત્યારે દાઉદ રાજાએ હદાદએઝેરની વિરુદ્ધ યુદ્ધ કરીને તેનો પરાજય કીધો હતો તેને લીધે, તેને મુબારકબાદી તથા ધન્યવાદ આપવા સારૂ ટોઇએ પોતાના દીકરા યોરામને મોકલ્યો, કેમકે હદાદએઝેરને ટોઈની સાથે વિગ્રહ ચાલતો હતો; ને યોરામ પોતાની સાથે રૂપાનાં તથા સોનાનાં તથા પિત્તળનાં પાત્રો લઇ આવ્યો હતો;

11 એઓને પણ દાઉદ રાજાએ યહોવાહ પ્રત્યે અર્પણ કીધાં, ને તેમની સાથે જે સર્વ પ્રજાઓને તેણે તાબે કરી હતી તેઓનું સોનું તથા રૂપું તેણે અર્પણ કીધું;

12 એટલે અરામનું, તથા મોઆબનું, તથા આમ્મોનપુત્રોનું, તથા પલિસ્તીઓનું, તથા અમાલેકનું, તથા સોબાહના રાજા રહોબના દીકરા હદાદએઝેરનું સોનું રૂપું.

13 અને દાઉદ મીઠાના નીચાણમાં અરાઢ હજાર અરામીઓને મારીને પાછો આવ્યો, ત્યારે તેનું નામ વિખ્યાત થયું.

14 આને તેણે અદોમમાં થાણાં મુક્યાં; આખા અદોમમાં તેણે થાણાં બેસાડ્યાં, ને સર્વ અદોમીઓ દાઉદના તાબેદાર થયા, ને દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાહે તેને ફતેહ પમાડી.

15 અને દાઉદનું રાજ્ય સર્વ ઇસ્રાએલ પર હતું; ને દાઉદ પોતાના સર્વ લોકોનાં ફેસલા તથા ન્યાય કરતો હતો.

16 અને સરૂયાહનો દીકરો યોઆબ સેનાપતિ હતો, તથા અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસક હતો;

17 અને અહીટૂબનો દીકરો સાદોક તથા અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજક હતા; ને સરૂયાહ ચિટણીસ હતો;

18 ને યહોયાદાનો દીકરો બનાયાહ કરેથીઓ તથા પલેથીઓ ઉપર હતો; ને દાઉદના દીકરાઓ મુખ્ય કારભારીઓ હતા.