1 અને યહોવાહે નુહને કહ્યું કે, તું એ તારા આખા ઘરનાં વહાણમાં આવો; કેમકે આ પેઢીમાં મેં તને મારી સમક્ષ ન્યાયી જોયો છે.
2 સર્વ શુદ્ધ પશુઓમાંથી સાત સાત નાર નારી ને અશુદ્ધ પશુઓમાંથી બબે નર નારી તું પોતાની સાથે લે.
3 ને આકાશનાં પક્ષીઓમાંનાં સાત સાત નાર માદા, આખી પૃથ્વી પર બીજ રાખવા સારું લે.
4 કેમકે સાત દહાડા પછી હું પૃથ્વી પર ચાળીસ દહાડા અને ચાળીસ રાત લગી વરસાદ વરસાવીશ, ને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કીધા છે, તેઓને નાશ પૃથ્વી પરથી હું કરીશ.
5 અને યહોવાહે હે સર્વ આજ્ઞા તેને આપી હતી તે પ્રમાણે નુહે કીધું.
6 અને પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહ છસેં વર્ષનો હતો.
7 અને નૂહ તથા તેના દીકરા તથા તેની સ્ત્રી, તથા તેના દીકરાઓની સ્ત્રીઓ જળપ્રલયને લીધે વહાણમાં ગયા.
8 શુદ્ધ પશુઓ તથા અશુદ્ધ પશુઓ, તથા પક્ષીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચલનાંરાં,
9 તેઓમાને બબે એટલે નાર તથા માદા, જેમ દેવે નુહને આજ્ઞા આપી, તેમ નુહની પાસે વહાણમાં આવ્યા.
10 ને એક થયું કે સાત દહાડા પછી પૃથ્વી પર જળપ્રલય થયો.
11 નુહના આયુષ્યના છસેંમાં વર્ષમાં તેના બીજા મહિનાને સત્તરમેં દહાડે, તેજ દહાડે મોટો જલનિધિના ઝરા ફૂટું નીકળ્યા અને આકાશનો દ્વારો ઉઘડી ગયાં.
12 ને ચાળીસ દહાડા તથા ચાળીસ રાત પૃથ્વી પર વરસાદ થયો.
13 તેજ દહાડે નૂહ અને તેના દીકરા શેમ, હામ ને યાફેથ, તથા નુહની વહુ તથા તેના દીકરાઓની ત્રણ વહુઓ વહાણમાં ગયાં.
14 તેઓ તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જનાવર, તથા પોતપોતાની જાત પ્રમાણે સર્વ પશુ, પોતપોતાની જાત પ્રમાણે હરેક પેટે ચાલનારું, જે પૃથ્વી પર ચાલે છે તે, ને પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના મોટાં તથા નાનાં પક્ષીઓ[ગયા].
15 ને સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે, તેમાંથી બબે નૂહ પાસે વહાણમાં ગયા.
16 ને જે તેમાં તે સર્વ પ્રાણીમન, નરનારી, જેમ દેવે તેને આજ્ઞા આપી હતી, તેમ તેઓ ગયા; ને યહોવાહે તેને તેમાં બંદ કીધો.
17 ને પૃથ્વી પર ચાળીસ દહાડો લગી જળપ્રલય હતો, ને પાણીએ વધીને વહાણને તરતું કીધું, ને પૃથ્વી પરથી ઉચકાયું.
18 ને પાણી વધ્યું ને પૃથ્વી પર બહુત ચઢ્યું, ને પાણીમાં વહાણ ચાલ્યું.
19 ને પૃથ્વી પર પાણી ઘણું ચઢ્યું, ને આખા આકાશ તળેના સર્વ ઊંચાં પહાડ ઢંકાઈ ગયા.
20 [પર્વતો પર] પંદર હાથ સુધી પાણી ચઢ્યું, ને પહાડો ઢંકાઈ ગયા.
21 ને પૃથ્વી પર ફરનારા પ્રાણીઓ, એટલે પક્ષી તથા ઢોર તથા વનપશુ, તથા જીવજંતુ જે પૃથ્વી પર હોય છે, તેઓ તથા સર્વ માણસ મારી ગયા;
22 કોરી જમીન પર સર્વ રેહનાર, જેઓના નસકોરામાં જીવનનો શ્વાસ હતો, તેઓ મરી ગયા.
23 ને પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયાં, ને નૂહ તથા તેની સાથે જે વહાણમાં હતા માત્ર તેઓજ બચ્યાં.
24 ને દોઢસો દહાડા લગી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું.