1 અને તેણે [પોતાના] બાર [શિષ્યો]ને બોલાવીને તેઓને સઘળાં ભૂતો પર, તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યાં;

2 ને દેવનું રાજ્ય પ્રગટ કરવા તથા માંદાઓને સાજાં કરવા તેણે તેઓને મોકલ્યા.

3 અને તેણે તેઓને કહ્યું કે, તમારી મુસાફરીને સારૂ કંઈ લેતા ના, લાકડી નહિ, કે જોણ્ણું નહિ, કે રોટલી નહિ, કે નાણું નહિ; વળી બબે અંગરખા રાખશો નહિ.

4 અને જો કોઈ ઘરમાં તમે જાઓ, તેમાંજ રહો, ને ત્યાંથીજ નીકળો.

5 અને તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાએ તમારો અંગીકાર કીધો ન હોય તેટલાની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.

6 અને તેઓ [ત્યાંથી] નીકળ્યા, ને ગામોગામ સુવાર્તા પ્રગટ કરતા તથા સર્વ ઠેકાણે રોગ મટાડતા ગયા.

7 હવે જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ ગુંચવણમાં પડ્યો, કેમકે કેટલાએક એમ કહેતા હતા કે, યોહાન મુએલામાંથી ઉઠ્યો છે.

8 અને કેટલાએક કહેતા હતા કે, એલિયાહ પ્રગટ થયો છે; ને બીજાઓ કહેતા હતા હે, પુરાતન ભવિષ્યવાદીઓમાંનો એક પાછો ઉઠ્યો છે.

9 અને હેરોદ કહ્યું કે, યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કે જેના સંબંધી હું આવી વાતો સાંભળું છું તે કોણ છે? ને તેણે તેને જોવા ચાહ્યું.

10 અને પ્રેરીતોએ પાછા આવીને જે જે કીધું હતું તે તે તેની કહી બતાવ્યું.અને તે તેઓને તેડીને બેથસાઇદા નામના શહેરમાં એકાંતમાં ગયો.

11 પણ ઘણા લોકો એ જાણીને તેની પછવાડે ગયા; ને તેણે તેઓને આવકાર કરીને તેઓને દેવના રાજ્ય સંબંધી વાત કીધી, ને જેઓને સાજા થવાની ગરજ હતી તેઓને સાજા કીધા.

12 અને દહાડો નમવા લાગ્યો, ત્યારે [બાર શિષ્યોએ] આવીને તેને કહ્યું કે, લોકોને વિદાય કર કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઉતરે, ને ખાવાનું મેળવે; કેમકે આપણે અહીં ઉજળ ઠેકાણે છીએ.

13 પણ તેણે તેઓને કહ્યું કે, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓએ કહ્યું કે, જો અમે જઈને એ સઘળા લોકોને સારૂ ખાવાનું વેચાતું ન લાવીએ તો અમારી પાસે પાંચ રોટલી ને બે માછલી શિવાય બીજું કંઈ નથી.

14 કેમકે તેઓ આસરે પાંચ હજાર પુરુષ હતા. અને તેણે પોતાના શિષ્યોને કહ્યું કે, આસરે પચાસ પચાસની પંગત પાડી તેઓને બેસાડો.

15 અને તેઓએ તેમ કીધું, ને સર્વને બેસાડ્યા.

16 અને તેણે પાંચ રોટલી ને બે માછલી લઈને આકાશ તરફ જોઇને તેઓને આશીર્વાદ દીધો, ને ભાંગીને લોકને પિરસવા સારૂ શિષ્યોને આપી.

17 અને તેઓએ ખાધું, ને સર્વે તૃપ્ત થયા; ને છાંડેલા કાકડાની તેઓએ બાર ટોપલી ઉઠાવી.

18 અને એમ થયું કે તે એકાંતમાં પ્રાર્થના કરો હતો, ત્યારે શિષ્યો તેની સાથે હતા; ને તેણે તેઓને પુછતાં કહ્યું કે, હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?

19 અને તેઓએ ઉત્તર આપતા કહ્યું કે, યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાએક [કહે છે] કે, એલીયાહ; ને બીજા [કહે છે] કે, પુરાતન ભવિષ્યવાદીઓમાંનો એક પાછો ઉઠ્યો છે.

20 અને તેણે તેઓને કહ્યું કે, પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો? ને પીતરે ઉત્તર આપતા કહ્યું કે, દેવનો ખ્રિસ્ત.

21 પણ તેણે તેઓને તાકીદ આપી ને આજ્ઞા કીધી કે, એ વાત કોઈને કહેતા ના.

22 અને તેણે તેઓને કહ્યું કે, માણસના દીકરાને ઘણું સહેવું, ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું, ને ત્રીજે દહાડે પાછાં ઉઠવું એ જરૂરનું છે.

23 અને તેણે સઘળાને કહ્યું કે, જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને રોજ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાચલ ચાલવું.

24 કેમકે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે; પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે.

25 કેમકે જો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો [આત્મા] ખોય, અથવા તેની હાની પામે, તો તેને શો લાભ છે?

26 કેમકે જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે લજવાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે લજવાશે.

27 પણ હું તમને ખરું કહું છું કે, અહીં જે ઉભા છે તેઓમાંના કેટલાએક એવાં છે કે જેઓ દેવનું રાજ્ય જોશે ત્યાં સુધી મરણ પામશે નહિ.

28 અને એ વાતો કહ્યાને આસરે આઠ દહાડા પછી એમ થયું કે તે પીતર તથા યોહાન તથા યાકુબને તેડીને પ્રાર્થના કરવા સારૂ પહાડ પર ગયો.

29 અને તે પ્રાથના કરતો હતો ત્યાતે તેના ચેહરાનું સ્વરૂપ બદલાઈ ગયું, ને તેનાં વસ્ત્ર ઉજળાં [તથા] ચળકતાં થયાં.

30 અને, જુઓ, બે પુરુષ, એટલે મુસા તથા એલીયાહ, તેની સાથે વાત કરતા હતા.

31 તેઓ મહિમાસહિત દેખાતા હતા, ને તેનું મરણ જે યરૂશાલેમમાં થવાનું હતું તે સંબંધી બોલતા હતા.

32 હવે પીતર તથા જેઓ તેનો સાથે હતા તેઓ ઉંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ પુરા જાગતા થયા, ત્યારે તેઓએ તેનો મહિમા દીઠા.

33 અને એમ થયું કે તેઓ તેની પાસેથી વિદાય થતા હતાં, ત્યારે પીતરે ઇસુને કહ્યું કે, સાહેબ, અહીં રહેવું આપણે માટે સારૂ છે; તો અમે ત્રણ માંડવા બનાવીએ, એક તારે સારૂ, ને એક મુસાને સારૂ, ને એક એલીયાહને સારૂ; કેમકે પોતે શું કહ્યું તે તે સમજતો નહોતો.

34 અને તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, ને તેઓ પર તેની છાયા પડી; ને તેઓ વાદળમાં પેઠા ત્યારે તેઓ બીધા.

35 અને વાદળામાંથી એવી વાણી થઇ કે, આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.

36 તે વાની થઇ રહી, ત્યારે ઇસુ એકલો દેખાયો. અને તેઓ ચાના રહ્યા, ને જે જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.

37 અને એમ થયું કે બીજે દહાડે તેઓ પહાડ પરથી ઉતર્યા, ત્યારે અતિઘણા લોક તેને મળ્યા.

38 અને, જુઓ, લોકો મધ્યેથી એક માણસ ઘાંટો પાડીને કહ્યું કે, ઉપદેશક, હું તને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દ્રષ્ટિ કર; કેમકે તે મારો એકનોએક પુત્ર છે;

39 ને જો, એક [અશુદ્ધ] આત્મા તેને વળગે છે, ને એકએક તે બૂમ પાડે છે; ને તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, ને તેને ઘણી ઈજા કરીને મુશ્કેલીથી તેને છોડે છે.

40 અને તેને કાઢવાની મેં તારા શિષ્યોને વિનંતી કીધી, પણ તેઓ કાઢી શક્યા નહિ.

41 અને ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, ને તમારૂં સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.

42 અને તે આવતો હતો એટલામાં ભૂતે તેને પછાડી નાખ્યો, ને તેને બહુ મરડ્યો. પણ ઇસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, ને છોકરાને સારો કીધો, ને તેને તેના બાપને પાછો સોંપ્યો.

43 અને દેવના મહા પરાક્રમથી તેઓ બધા વિસ્મિત થયા. પણ તેણે જે જે કીધું તે સઘળું જોઇને સર્વ વિસ્મિત થતા હતા,ત્યારે તેણે પોતાના શિષ્યોને કહ્યું કે,

44 આ વચનો તમારા કાનમાં ઉતારવા દો; કેમકે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.

45 પણ એ વાત તેઓ સમજ્યા નહિ, ને તેઓથી તે ગુપ્ત રખાઈ, એ માટે કે તેઓ તે સમજે નહિ; અને આ વાત સંબંધી તેને પુછતાં તેઓ બીધા.

46 અને તેઓમાં વાદવિવાદ શરુ થયો કે, આપણામાં કોણ સૌથી મોટો થાય?

47 પણ ઇસુએ તેઓના મનના વિચાર જાણીને એ બાળકને લઈને તેને પોતાની પાસે ઉભું રાખ્યું,

48 ને તેઓને કહ્યું કે, ને જે કોઈ મારો અંગીકાર કે છે તે મારો મોકલનારનો અંગીકાર કરે છે; કેમકે તમ સર્વમાં જે સૌથી નાનો તેજ મોટો છે.

49 અને યોહાને ઉત્તર આપતા કહ્યું કે, સાહેબ, અમે એક માણસને તારા નામે ભૂત કાઢતાં જોયો; ને અમે તેને મના કીધી, કારણ કે તે આપણી સાથે ચાલતો નથી.

50 પણ ઇસુએ તેને કહ્યું કે, મના ન કરો, કેમકે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.

51 અને એમ થયું કે તેને ઉપર લઇ લેવાનો દિવસો પુરા થવા આવ્યા, ત્યારે તેણે યરૂશાલેમ જવા સારૂ પોતાનું મ્હો [ તે ભણી] દૃઢ રાખ્યું.

52 અને તેણે પોતાની આગળ કાસદો મોકલ્યા, ને એઓ જઈને તેને સારૂ તૈયારી કરવા માટે સમરુનીઓના એક ગામડાં પેઠા.

53 અને તેઓએ તેનો આવકાર કીધો નહિ, કારણ કે યરૂશાલેમ ભણી તેનો મ્હો હતું.

54 અને તેના શિષ્યો યાકુબ તથા યોહાને એ જોઇને કહ્યું કે, પ્રભુ, શું, તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે?

55 પણ તેણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા.

56 અને તેઓ બીજે ગામ ગયા.

57 અને તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે તેણે કહ્યું કે, પ્રભુ, જ્યાં કહીં તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.

58 અને ઇસુએ તેને કહ્યું કે, લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મુકવાનો ઠામ નથી.

59 અને તેણે બીજાને કહ્યું કે, મારી પાછળ આવ. પણ તેણે કહ્યું કે, પ્રભુ, પ્રભુ મને રજા આપ કે પહેલાં જઈને મારા બાપને દાટું.

60 પણ તેણે કહ્યું કે, મુએલાઓને પોતાના મુએલાઓને દાટવા દે, પણ તું જઈને દેવના રાજ્ય[[ની વાત] પ્રગટ કર.

61 અને બીજાએ પણ કહ્યું કે, હે પ્રભુ, હું તારી પાછળ આવીશ; પણ પહેલવહેલાં જે મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ.

62 પણ ઇસુએ તેને કહ્યું કે, કોઈ માણસ હળે હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી.